શોધખોળ કરો

T20 કેપ્ટનને લઇને તકરાર વધી, જય શાહ અને ગૌતમ ગંભીરમાં મતભેદ ? જાણો કોણ કોને બનાવવા માંગે છે કેપ્ટન

Gautam Gambhir And Jay Shah Divided: કોણ હશે ભારતનો આગામી ટી20 કેપ્ટન ? સમગ્ર વિશ્વની નજર આ સવાલ પર ટકેલી છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે

Gautam Gambhir And Jay Shah Divided Over T20 Captain: કોણ હશે ભારતનો આગામી ટી20 કેપ્ટન ? સમગ્ર વિશ્વની નજર આ સવાલ પર ટકેલી છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, ભારતના આગામી ટી20 કેપ્ટનને લઈને તકરાર ચાલી રહી છે. BCCI સેક્રેટરી જય શાહ અને નવા મુખ્ય કૉચ ગૌતમ ગંભીર વચ્ચે મતભેદ હોવાના અહેવાલ છે.

હાલમાં ક્રિકેટ જગતમાં ભારતના આગામી ટી20 કેપ્ટનને લઈને ચર્ચા ચાલી રહી છે. સમગ્ર વિશ્વની નજર BCCIના નિર્ણય પર ટકેલી છે. અગાઉ ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે 2024 ટી20 વર્લ્ડકપ વિજેતા ટીમના વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માનું સ્થાન લેશે. પરંતુ અચાનક ફરી એક રિપોર્ટ આવ્યો, જેણે બધાને ચોંકાવી દીધા. બીજા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હાર્દિકને કેપ્ટનશિપ નહીં મળે. સૂર્યકુમાર યાદવ નવા કેપ્ટન બનવાના સૌથી મોટા દાવેદાર છે. જોકે હવે જે સમાચાર આવ્યા છે તે ચોંકાવનારા છે.

ગૌતમ ગંભીર અને જય શાહમાં મતભેદ ? 
રિપોર્ટ અનુસાર સેક્રેટરી જય શાહ ઈચ્છે છે કે હાર્દિક પંડ્યા ટી20 ટીમની કમાન સંભાળે. જોકે ગૌતમ ગંભીર આ માટે તૈયાર નથી. ગંભીર ઈચ્છે છે કે ટી20 ટીમની બાગડોર સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવે. આ અંગે બંને વચ્ચે મતભેદ હોવાના સમાચાર આવ્યા છે. અન્ય એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ગંભીર વારંવાર ઇજાઓ, બ્રેક લેવા અને વર્કલૉડ મેનેજમેન્ટને કારણે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવા માંગતો નથી.

આજે શ્રીલંકા પ્રવાસ માટે થઇ શકે છે ટીમનું એલાન 
રિપોર્ટ અનુસાર શ્રીલંકા પ્રવાસ માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે. હકીકતમાં, અગાઉ ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે શ્રીલંકા સામેની ત્રણ મેચની ટી20 સીરીઝ અને ત્રણ મેચની ODI સીરીઝ માટે ટીમની જાહેરાત બુધવારે (17 જુલાઈ) કરવામાં આવશે. જો કે, ત્યારબાદ અચાનક જ સિલેક્શન મીટિંગ સ્થગિત કરવાના સમાચાર સામે આવ્યા છે, હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે BCCI સેક્રેટરી જય શાહ 19 થી 22 જુલાઈ વચ્ચે શ્રીલંકામાં ICC મીટિંગમાં હાજરી આપવાના છે. આવી સ્થિતિમાં આજે શ્રીલંકા પ્રવાસ માટેની ટીમની જાહેરાત કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે ભારતના આગામી ટી20 કેપ્ટનની પણ આજે જ જાહેરાત થઈ શકે છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
ઈન્ડિગોના સંકટથી હાહાકાર! હરભજન સિંહથી લઈને શશી થરુર સુધીના લોકોએ કાઢી ઝાટકણી
ઈન્ડિગોના સંકટથી હાહાકાર! હરભજન સિંહથી લઈને શશી થરુર સુધીના લોકોએ કાઢી ઝાટકણી
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
Embed widget