શોધખોળ કરો

IND vs ENG: ભારત માટે આ ત્રણ ખેલાડીઓ બની શકે છે ગેમ ચેન્જર, ઇંગ્લિશ ટીમ આજે ત્રણેયને કાબુમાં રાખવા કરશે પ્રયાસ

આ ત્રણેય ખેલાડીઓ ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. જાણો આ ટી20 વર્લ્ડકપ 2022માં શું છે તેમનુ પ્રદર્શન.... 

India vs England: આજે ટી20 વર્લ્ડકપ 2022ની બીજી સેમિ ફાઇનલ મેચ રમાઇ રહી છે, ભારત અને ઇંગ્લેન્ડ ફાઇનલમાં જવા માટે એકબીજાને જોરદાર ટક્કર આપી રહ્યાં છે, પરંતુ આ બધાની વચ્ચે કેટલાક ખેલાડીઓ એવા છે જેના પર તમામની નજર રહેશે, અમે અહીં ભારતીય ટીમના ત્રણ એવા ખેલાડીઓની વાત કરી રહ્યાં છીએ જેના પર ઇંગ્લિશ ટીમની નજર ચોંટેલી છે. કેમ કે આ ત્રણેય ખેલાડીઓ ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. જાણો આ ટી20 વર્લ્ડકપ 2022માં શું છે તેમનુ પ્રદર્શન.... 

આજની મેચ ઓસ્ટ્રેલિયાના એડિલેડ ઓવલ ગ્રાઉન્ડમાં બપોર 1.30 વાગ્યાથી શરૂ થઇ રહી છે, આ મેચમાં ટીમ ઇન્ડિયાના રન મશીન વિરાટ કોહલી, ટી20 નંબર વન બેટ્સમેન સૂર્યકુમાર યાદવ, અને યુવા બૉલર અર્શદીપ સિંહ પર ઇંગ્લિશ ટીમની નજર છે, આ ત્રણેય ખેલાડીઓ પર ટીમ ઇન્ડિયાની જીતનો મદાર રહેલો છે.

વિરાટ કોહલી -
ટી20 વર્લ્ડકપમાં કોહલીએ અત્યાર સુધી દમદાર પ્રદર્શન કર્યુ છે, તેને 5 મેચોમાં સૌથી વધુ 246 રન ફટકાર્યા છે. કોહલીએ 123ની એવરેજ સાથે બનાવ્યા છે, જ્યારે તેની સ્ટ્રાઇક રેટ પણ લગભગ 140ની રહી છે. તેને ત્રણ ફિફ્ટી પણ ફટકારી છે. 

સૂર્યકુમાર યાદવ - 
ટી20 વર્લ્ડકપ 2022માં સૂર્યકુમાર યાદવે ધમાલ મચાવી દીધી છે. તેને 5 મેચોમાં 3 ફિફ્ટી ફટકારી દીધી છે, તેને અત્યાર સુધી 225 રન બનાવી લીધા છે, આ દરમિયાન તેની એવરેજ 75 થી વધુની રહી છે. વળી, તેની સ્ટ્રાઇક રેટ આ વર્લ્ડકપમાં 193થી પણ વધારે છે. 

અર્શદીપ સિંહ -
ભારતીય ટીમના યુવા ફાસ્ટ બૉલર અર્શદીપ સિંહએ આ ટી20 વર્લ્ડકપમાં કમાલનુ પ્રદર્શન કર્યુ છે, તેને અત્યાર સુધી 5 મેચોમાં 10 વિકેટો ઝડપી છે, ખાસ કરીને શરૂઆત સ્પેલમાં અર્શદીપ સિંહ વિકેટો લેવામાં સફળ રહ્યો છે. જો ઇંગ્લેન્ડ વિરુદ્ધ પણ તે પોતાનુ આ ફોર્મ યથાવત રાખશે તો ઇંગ્લિશ ટીમ મુશ્કેલીમાં મુકાઇ જશે. 

 

ઇંગ્લેન્ડ સામે રોહિત શર્માનો ગેમ પ્લાન -

ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇનલ મેચ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ એક મોટું નિવેદન આપ્યું છે. રોહિત શર્માએ કહ્યું કે અમે જાણીએ છીએ કે T20 ક્રિકેટ કેવી રીતે રમાય છે. તેણે કહ્યું કે આ ફોર્મેટમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે મેચના દિવસે કેવી રીતે રમો છો. આ ફોર્મેટમાં મેચ જીતવા માટે તમારે વધુ સારું ક્રિકેટ રમવું પડશે. જો તમે આમ કરવામાં નિષ્ફળ રહેશો તો પરિણામ તમારી વિરુદ્ધ જઈ શકે છે. રોહિત શર્માએ કહ્યું કે, ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચ પહેલા અમારી ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે, અમારા ખેલાડીઓમાં આત્મવિશ્વાસની કોઈ ખોટ નથી, પરંતુ એમાં કોઈ શંકા નથી કે ઇગ્લેન્ડ જેવી ટીમ સામે મેદાન પર સો ટકા આપવું પડશે. મને ખાતરી છે કે અમારી ટીમ આ કરી શકશે. ભારતીય કેપ્ટને કહ્યું કે અમે ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇનલ મેચ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs NZ: 40 દિવસમાં ભારત વિરુદ્ધ 12 મેચ રમશે ન્યૂઝીલેન્ડ, NZCએ જાહેર કર્યો કાર્યક્રમ 
IND vs NZ: 40 દિવસમાં ભારત વિરુદ્ધ 12 મેચ રમશે ન્યૂઝીલેન્ડ, NZCએ જાહેર કર્યો કાર્યક્રમ 
IND vs AFG શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો: રોહિત-હાર્દિક રમશે કે નહીં? BCCIનું અલ્ટીમેટમ
IND vs AFG શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો: રોહિત-હાર્દિક રમશે કે નહીં? BCCIનું અલ્ટીમેટમ
ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર... ભારતની યજમાની કરશે અફઘાનિસ્તાન, જાણો ક્યારે અને ક્યાં રમાશે ટી20 સીરીઝ
ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર... ભારતની યજમાની કરશે અફઘાનિસ્તાન, જાણો ક્યારે અને ક્યાં રમાશે ટી20 સીરીઝ
વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી પર BCCI ઉપપ્રમુખનું મોટું નિવેદન, જાણો રાજીવ શુક્લાએ શું કહ્યું ?
વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી પર BCCI ઉપપ્રમુખનું મોટું નિવેદન, જાણો રાજીવ શુક્લાએ શું કહ્યું ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
Embed widget