શોધખોળ કરો

IND vs ENG: ભારત માટે આ ત્રણ ખેલાડીઓ બની શકે છે ગેમ ચેન્જર, ઇંગ્લિશ ટીમ આજે ત્રણેયને કાબુમાં રાખવા કરશે પ્રયાસ

આ ત્રણેય ખેલાડીઓ ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. જાણો આ ટી20 વર્લ્ડકપ 2022માં શું છે તેમનુ પ્રદર્શન.... 

India vs England: આજે ટી20 વર્લ્ડકપ 2022ની બીજી સેમિ ફાઇનલ મેચ રમાઇ રહી છે, ભારત અને ઇંગ્લેન્ડ ફાઇનલમાં જવા માટે એકબીજાને જોરદાર ટક્કર આપી રહ્યાં છે, પરંતુ આ બધાની વચ્ચે કેટલાક ખેલાડીઓ એવા છે જેના પર તમામની નજર રહેશે, અમે અહીં ભારતીય ટીમના ત્રણ એવા ખેલાડીઓની વાત કરી રહ્યાં છીએ જેના પર ઇંગ્લિશ ટીમની નજર ચોંટેલી છે. કેમ કે આ ત્રણેય ખેલાડીઓ ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. જાણો આ ટી20 વર્લ્ડકપ 2022માં શું છે તેમનુ પ્રદર્શન.... 

આજની મેચ ઓસ્ટ્રેલિયાના એડિલેડ ઓવલ ગ્રાઉન્ડમાં બપોર 1.30 વાગ્યાથી શરૂ થઇ રહી છે, આ મેચમાં ટીમ ઇન્ડિયાના રન મશીન વિરાટ કોહલી, ટી20 નંબર વન બેટ્સમેન સૂર્યકુમાર યાદવ, અને યુવા બૉલર અર્શદીપ સિંહ પર ઇંગ્લિશ ટીમની નજર છે, આ ત્રણેય ખેલાડીઓ પર ટીમ ઇન્ડિયાની જીતનો મદાર રહેલો છે.

વિરાટ કોહલી -
ટી20 વર્લ્ડકપમાં કોહલીએ અત્યાર સુધી દમદાર પ્રદર્શન કર્યુ છે, તેને 5 મેચોમાં સૌથી વધુ 246 રન ફટકાર્યા છે. કોહલીએ 123ની એવરેજ સાથે બનાવ્યા છે, જ્યારે તેની સ્ટ્રાઇક રેટ પણ લગભગ 140ની રહી છે. તેને ત્રણ ફિફ્ટી પણ ફટકારી છે. 

સૂર્યકુમાર યાદવ - 
ટી20 વર્લ્ડકપ 2022માં સૂર્યકુમાર યાદવે ધમાલ મચાવી દીધી છે. તેને 5 મેચોમાં 3 ફિફ્ટી ફટકારી દીધી છે, તેને અત્યાર સુધી 225 રન બનાવી લીધા છે, આ દરમિયાન તેની એવરેજ 75 થી વધુની રહી છે. વળી, તેની સ્ટ્રાઇક રેટ આ વર્લ્ડકપમાં 193થી પણ વધારે છે. 

અર્શદીપ સિંહ -
ભારતીય ટીમના યુવા ફાસ્ટ બૉલર અર્શદીપ સિંહએ આ ટી20 વર્લ્ડકપમાં કમાલનુ પ્રદર્શન કર્યુ છે, તેને અત્યાર સુધી 5 મેચોમાં 10 વિકેટો ઝડપી છે, ખાસ કરીને શરૂઆત સ્પેલમાં અર્શદીપ સિંહ વિકેટો લેવામાં સફળ રહ્યો છે. જો ઇંગ્લેન્ડ વિરુદ્ધ પણ તે પોતાનુ આ ફોર્મ યથાવત રાખશે તો ઇંગ્લિશ ટીમ મુશ્કેલીમાં મુકાઇ જશે. 

 

ઇંગ્લેન્ડ સામે રોહિત શર્માનો ગેમ પ્લાન -

ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇનલ મેચ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ એક મોટું નિવેદન આપ્યું છે. રોહિત શર્માએ કહ્યું કે અમે જાણીએ છીએ કે T20 ક્રિકેટ કેવી રીતે રમાય છે. તેણે કહ્યું કે આ ફોર્મેટમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે મેચના દિવસે કેવી રીતે રમો છો. આ ફોર્મેટમાં મેચ જીતવા માટે તમારે વધુ સારું ક્રિકેટ રમવું પડશે. જો તમે આમ કરવામાં નિષ્ફળ રહેશો તો પરિણામ તમારી વિરુદ્ધ જઈ શકે છે. રોહિત શર્માએ કહ્યું કે, ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચ પહેલા અમારી ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે, અમારા ખેલાડીઓમાં આત્મવિશ્વાસની કોઈ ખોટ નથી, પરંતુ એમાં કોઈ શંકા નથી કે ઇગ્લેન્ડ જેવી ટીમ સામે મેદાન પર સો ટકા આપવું પડશે. મને ખાતરી છે કે અમારી ટીમ આ કરી શકશે. ભારતીય કેપ્ટને કહ્યું કે અમે ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇનલ મેચ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
Advertisement

વિડિઓઝ

Par Tapi Narmada Link Project : સરકાર પ્રોજેક્ટ ન કરવા માગતી હોય તો પરિપત્ર જાહેર કરે: તુષાર ચૌધરી
Bharuch Mobile Snatching : ભરુચમાં પેટ્રોલપંપ પર મહિલાના મોબાઇલ-રૂપિયાની ચિલઝડપ, આરોપી ઝડપાયો
Hun To Bolish : હું તો બોલીશ : ખાતર મળવાની ખાતરી
Hun To Bolish : હું તો બોલીશ : પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ !
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચો-તલાટીઓનું 'નળથી છળ'?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતાધારકોને આપ્યો મોટ ઝટકો, 15 ઓગસ્ટથી ચૂકવવો પડશે આ ચાર્જ
દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતાધારકોને આપ્યો મોટ ઝટકો, 15 ઓગસ્ટથી ચૂકવવો પડશે આ ચાર્જ
હિમાચલમાં ફરી કુદરતનો પ્રકોપ: વાદળ ફાટવાથી શિમલા અને લાહૌલ-સ્પિતિમાં પુલ ધોવાયા, 300થી વધુ રસ્તાઓ બંધ, જુઓ Video
હિમાચલમાં ફરી કુદરતનો પ્રકોપ: વાદળ ફાટવાથી શિમલા અને લાહૌલ-સ્પિતિમાં પુલ ધોવાયા, 300થી વધુ રસ્તાઓ બંધ, જુઓ Video
Embed widget