શોધખોળ કરો

IND vs NZ : ટીમ ઈન્ડિયાના નામે નોંધાયો મેચ રદ્દ થવાનો વર્લ્ડ રેકોર્ડ, દર 25માં મુકાબલાનું નથી આવતું રિઝલ્ટ

Team India: ODI ક્રિકેટના ઈતિહાસમાં ભારતીય ટીમની સૌથી વધુ 42 મેચો રદ કરવામાં આવી છે, જે કોઈપણ ટીમ તરફથી સૌથી વધુ છે. ટીમ ઈન્ડિયાની પ્રત્યેક 25મી ODI મેચ એક યા બીજા કારણોસર રદ થાય છે.

IND vs NZ, 2nd ODI: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન-ડે  સીરીઝની બીજી મેચ હેમિલ્ટનમાં રમાઈ હતી. પરંતુ વરસાદના કારણે આ મેચ પૂર્ણ થઈ શકી નહી અને રદ કરવામાં આવી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 12.5 ઓવરમાં 89 રન બનાવ્યા હતા. આ દરમિયાન સૂર્યકુમાર યાદવ ઝડપી બેટિંગ કરી રહ્યો હતો. પરંતુ વરસાદે તેની ઇનિંગ્સને બરબાદ કરી દીધી હતી. શુભમન ગિલ 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 45 રન બનાવીને અણનમ રહ્યો હતો.

ODI ક્રિકેટના ઈતિહાસમાં ભારતીય ટીમની સૌથી વધુ 42 મેચો રદ કરવામાં આવી છે, જે કોઈપણ ટીમ તરફથી સૌથી વધુ છે. ટીમ ઈન્ડિયાની પ્રત્યેક 25મી ODI મેચ એક યા બીજા કારણોસર રદ થાય છે. ચાલો જાણીએ કે અત્યાર સુધી કઈ ટીમની કેટલી ODI મેચો રદ કરવામાં આવી છે.

કઈ ટીમની કેટલી ODI મેચો રદ કરવામાં આવી?

અત્યાર સુધીમાં ભારતીય ટીમની સૌથી વધુ 42 ODI મેચો રદ કરવામાં આવી છે. આ પછી ન્યુઝીલેન્ડ 41 રદ થયેલી મેચો સાથે બીજા નંબર પર યથાવત છે. શ્રીલંકાની 38 મેચ, ઓસ્ટ્રેલિયાની 34 મેચ, ઈંગ્લેન્ડની 30 મેચ, વેસ્ટ ઈન્ડિઝની 30 મેચ, દક્ષિણ આફ્રિકાની 21 મેચ, પાકિસ્તાનની 20 મેચ, ઝિમ્બાબ્વેની 12 મેચ, આયર્લેન્ડની 10 મેચ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની 3 વનડેની 7 મેચો રદ કરવામાં આવી છે.

ભારતીય ટીમની વનડેમાં કોની સામે કેટલી મેચ થઈ રદ્દ

ODI ક્રિકેટમાં શ્રીલંકા સામે ભારતીય ટીમની 11 મેચો રદ્દ કરવામાં આવી છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા સામેની 10, ન્યુઝીલેન્ડ સામેની 6, પાકિસ્તાન સામેની 4, વેસ્ટ ઈન્ડિઝ સામેની 4, ઈંગ્લેન્ડ સામેની 3, દક્ષિણ આફ્રિકા સામેની 3 અને બાંગ્લાદેશ સામેની 1 મેચ રદ્દ કરવામાં આવી છે.

વરસાદ સિવાયના કારણો

વરસાદ સિવાય અન્ય કારણોસર પણ મેચો રદ્દ કરવામાં આવી છે. જેમાં પથ્થરબાજીથી લઈને ખરાબ પિચ સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે. 1998માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ દર્શકોના ખરાબ વલણને કારણે રદ કરવામાં આવી હતી. સ્ટેન્ડ પર હાજર પાકિસ્તાની દર્શકોએ મેદાન પર પથ્થરમારો કર્યો, જેના કારણે મેચ રદ્દ કરવી પડી.

1997માં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચ ખરાબ પિચના કારણે રદ કરવામાં આવી હતી. આ મેચ માત્ર 18 બોલ બાદ રદ કરવામાં આવી હતી. આ મેચ ઈન્દોરના નેહરુ સ્ટેડિયમમાં રમાઈ હતી.

આ સિવાય 2002માં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી વનડે મેચ બે દિવસ બાદ પણ રદ કરવામાં આવી હતી. આ મેચમાં બંને દિવસે માત્ર એક જ દાવ રમાયો હતો. આ પછી મેચ રદ કરવામાં આવી હતી. આ મેચ 29 અને 30 સપ્ટેમ્બરે રમાઈ હતી. 27 ડિસેમ્બર, 2009 ના રોજ, ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચ ખરાબ પિચને કારણે ફરીથી રદ કરવામાં આવી હતી. 23.3 ઓવર બાદ મેચ રદ્દ કરવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget