શોધખોળ કરો

ઓવલમાં ઐતિહાસિક જીત બાદ ઈગ્લેન્ડના ડ્રેસિંગ રૂમમાં કેમ ગઈ હતી ભારતીય ટીમ, આ ખેલાડીએ કર્યો ખુલાસો

ભારતીય બેટ્સમેન કરુણ નાયરે પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમના મતે મેચ પૂરી થયા પછી ભારતીય ટીમે કંઈ મોટી ઉજવણી કરી ન હતી

IND vs ENG: કેનિંગ્ટન ઓવલ ખાતે રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને માત્ર 6 રનથી હરાવીને ઐતિહાસિક જીત મેળવી અને શ્રેણી 2-2 થી ડ્રો કરી, પરંતુ વિજય પછી જે દ્રશ્ય જોવા મળ્યું તે ક્રિકેટ ચાહકોને આશ્ચર્યચકિત કરી ગયું. મેચ જીત્યા પછી ટીમ ઈન્ડિયા સીધી ઈંગ્લેન્ડના ડ્રેસિંગ રૂમમાં પહોંચી જ્યાં બંને ટીમોના ખેલાડીઓ ખુલ્લેઆમ વાત કરતા જોવા મળ્યા હતા.

આ ખેલાડીએ કારણ જણાવ્યું

ભારતીય બેટ્સમેન કરુણ નાયરે પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમના મતે મેચ પૂરી થયા પછી ભારતીય ટીમે કંઈ મોટી ઉજવણી કરી ન હતી પરંતુ બધા વિરોધી ટીમના ડ્રેસિંગ રૂમમાં ગયા અને એકબીજા સાથે વાત કરી હતી. નાયરના મતે, "બંને ટીમોને લાગ્યું કે આ શ્રેણી તાજેતરના સમયની શ્રેષ્ઠ ટેસ્ટ શ્રેણીઓમાંની એક છે. ઈંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેક્કુલમે પણ તેને પોતાની કારકિર્દીની યાદગાર શ્રેણી ગણાવી હતી.

શ્રેણીની સફર

ઈંગ્લેન્ડે લીડ્સમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ જીતી હતી, પરંતુ ભારતે બીજી ટેસ્ટ જીતીને શાનદાર વાપસી કરી હતી. તે જ સમયે, ત્રીજી મેચ ઈંગ્લેન્ડના ખાતામાં ગઈ. ચોથી મેચ ડ્રો રહી અને ભારતે પાંચમી મેચ રોમાંચક રીતે જીતી લીધી. છેલ્લી ટેસ્ટમાં ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડની બેટિંગનો સંપૂર્ણ નાશ કર્યો.

કરુણ નાયરનું વાપસી અને મહત્વપૂર્ણ ઇનિંગ્સ

નાયરને પહેલી ત્રણ ટેસ્ટમાં રમવાની તક આપવામાં આવી હતી, પરંતુ તે ત્રણેય મેચમાં મોટી ઇનિંગ્સ રમી શક્યો ન હતો. જેના કારણે તેને ચોથી ટેસ્ટમાંથી બહાર કરવામાં આવ્યો હતો. ઋષભ પંતની ઈજાને કારણે તેને પાંચમી ટેસ્ટમાં ફરીથી તક આપવામાં આવી હતી અને તેણે તે મેચમાં 57 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. તેની ઇનિંગ્સને કારણે ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 224 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 247 રનમાં સમેટાઈ ગઈ હતી.

બીજા ઇનિંગ્સમાં ભારતે 396 રનનો વિશાળ સ્કોર બનાવ્યો અને ઈંગ્લેન્ડને 374 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. છેલ્લા દિવસે યજમાન ટીમને 35 રનની જરૂર હતી અને 4 વિકેટ બાકી હતી પરંતુ મોહમ્મદ સિરાજે ઘાતક બોલિંગ કરી અને 9 વિકેટ લઈને ભારતને ઐતિહાસિક જીત અપાવી હતી.  હવે ટીમ ઈન્ડિયા ઓક્ટોબરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમતી જોવા મળશે.          

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026 ની પહેલી જ મેચ પર સંકટના વાદળો! RCB vs SRH મેચ રમાશે કે નહીં? BCCI ની ચિંતા વધી
IPL 2026 ની પહેલી જ મેચ પર સંકટના વાદળો! RCB vs SRH મેચ રમાશે કે નહીં? BCCI ની ચિંતા વધી
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
T20 World Cup 2026 માં કિસ્મતે ના આપ્યો સાથ, એક પણ મેચ ના રમી શક્યા આ 5 ખેલાડી
T20 World Cup 2026 માં કિસ્મતે ના આપ્યો સાથ, એક પણ મેચ ના રમી શક્યા આ 5 ખેલાડી
"મેં જસપ્રીત બુમરાહને સ્લોઅર બોલ નાખતા શીખવ્યું છે!" જાણો કયા પાકિસ્તાની બોલરે કર્યો આવો મોટો દાવો

વિડિઓઝ

Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?
Hun To Bolish : હું તો બોલીશ : જીમમાં પ્રેમના નામે પ્રપંચ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
Embed widget