શોધખોળ કરો

ICC Champions Trophy 2025: કરાચી અને લાહોરમાં રમાશે ચેમ્પિયન્સ ટ્રૉફીની મેચો ? ઓપનિંગ અને ક્લૉઝિંગ સેરેમની પર આવ્યું મોટું અપડેટ

ICC Champions Trophy 2025: પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડ (PCB) 2025ની ચેમ્પિયન્સ ટ્રૉફી તેના દેશમાં યોજવા પર અડગ છે

ICC Champions Trophy 2025: પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડ (PCB) 2025ની ચેમ્પિયન્સ ટ્રૉફી તેના દેશમાં યોજવા પર અડગ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) તરફથી ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 માટે બજેટની મંજૂરી મળ્યા બાદ PCBએ આ ટૂર્નામેન્ટ માટે આગળનું વધુ પ્લાનિંગ શરૂ કરી દીધું છે. પીસીબીએ આ આઈસીસી ટૂર્નામેન્ટના સ્થળ અને ગૃપ અંગે પહેલેથી જ નિર્ણય કરી લીધો છે. પાકિસ્તાન બોર્ડે ચેમ્પિયન્સ ટ્રૉફીનું શિડ્યૂલ પણ તૈયાર કરી લીધું છે. હવે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીના ઉદઘાટન અને સમાપન સમારોહની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.

જોકે, પીસીબીએ ઓપનિંગ અને ક્લૉઝિંગ સેરેમનીની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તેના માટે સ્થળ પણ પસંદ કર્યું છે, તેમ છતાં તે હજુ પણ આઈસીસીની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. પાકિસ્તાનના જિયો ન્યૂઝ અનુસાર, જો ICC એ લીલી ઝંડી આપે છે કે ઈવેન્ટ સંપૂર્ણપણે પાકિસ્તાનમાં યોજાશે, તો ઓપનિંગ સેરેમની કરાચીના નેશનલ સ્ટેડિયમમાં થશે અને ક્લૉઝિંગ સેરેમની લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં થશે.

પીસીબીએ તૈયાર કરી લીધું છે શિડ્યૂલ 
પાકિસ્તાન બોર્ડે 2025ની ચેમ્પિયન્સ ટ્રૉફીનું શિડ્યુલ ICCને સુપરત કર્યું છે. આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન સહિત કુલ 8 ટીમો ભાગ લેશે. ગ્રુપ સ્ટેજના અંતે ભારત અને પાકિસ્તાનની ટીમો ટકરાશે. ડ્રાફ્ટ શિડ્યૂલ અનુસાર, 2025ની ચેમ્પિયન્સ ટ્રૉફી 19 ફેબ્રુઆરીથી 9 માર્ચની વચ્ચે યોજાશે. જો કે આ અંગે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

પીસીબીએ તૈયાર કરી લીધા છે બે ગૃપો 
પીસીબીએ ચેમ્પિયન્સ ટ્રૉફીની આઠ ટીમોને બે ગ્રુપમાં વહેંચી છે. ભારત અને પાકિસ્તાન ઉપરાંત બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ ગ્રુપ Aમાં છે. જ્યારે અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા ગ્રુપ બીમાં છે. દરેક ગ્રુપમાંથી ટોપ 2 ટીમ સુપર 4માં રમશે. સુપર 4માંથી ટોચની 2 ટીમો ફાઈનલ માટે ક્વૉલિફાય થશે.

                                                                                                                                                                                                                                                            

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget