Ind vs Eng: ઇગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં કોહલી પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર, જાણો કેમ લેવામાં આવ્યો નિર્ણય?
ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે ત્રણ મેચની વન-ડે સીરિઝની પ્રથમ મેચ રમવા માટે મેદાનમાં ઉતરી હતી

ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે ત્રણ મેચની વન-ડે સીરિઝની પ્રથમ મેચ રમવા માટે મેદાનમાં ઉતરી હતી. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ દરમિયાન કહ્યું કે તેમની ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ઈજાને કારણે તે આજની મેચ રમી રહ્યો નથી.
𝗨𝗽𝗱𝗮𝘁𝗲:
— BCCI (@BCCI) February 6, 2025
Virat Kohli was unavailable for selection for the 1st ODI due to a sore right knee.
Follow The Match ▶️ https://t.co/lWBc7oPRcd#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank https://t.co/mqYkjZXy1O
યશસ્વી જયસ્વાલ અને હર્ષિત રાણાએ નાગપુરમાં ઈંગ્લેન્ડ સામે વનડે ડેબ્યૂ કર્યું હતું. યશસ્વી જયસ્વાલ અને હર્ષિત રાણાને તેમની વન-ડે કેપ્સ આપવામાં આવી છે. આનો અર્થ એ થયો કે આ બંને ખેલાડીઓ આજે વનડે ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. કોચ ગૌતમ ગંભીરે યશસ્વીને તેની કેપ આપી જ્યારે મોહમ્મદ શમીએ હર્ષિતને તેની વન-ડે કેપ આપી હતી.
📸 📸
— BCCI (@BCCI) February 6, 2025
𝙄𝙣 𝙋𝙞𝙘𝙨: Those debut moments, ft. Yashasvi Jaiswal and Harshit Rana 🧢 🧢
Follow The Match ▶️ https://t.co/lWBc7oPRcd#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/ryBC6A8z67
રોહિતે જણાવ્યું કે વિરાટ ગઈ રાતથી ઘૂંટણમાં દુખાવો અનુભવી રહ્યો હતો અને તેના કારણે તે આ મેચમાં રમી રહ્યો નથી. BCCI એ વિરાટ કોહલીની ફિટનેસ અંગે અપડેટ જાહેર કર્યું છે. બીસીસીઆઈએ માહિતી આપી છે કે વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડે મેચ માટે પસંદગી માટે ઉપલબ્ધ નથી કારણ કે તે ગઈકાલ રાતથી જમણા ઘૂંટણમાં દુખાવો અનુભવી રહ્યો છે. આ કારણે વિરાટ કોહલીને પ્રથમ ODI મેચ માટે ભારતીય ટીમની પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું ન હતું.
1st ODI.India XI: R. Sharma (C), Y. Jaiswal, S. Gill, K. L. Rahul (wk), S. Iyer, H. Pandya, R. Jadeja, A. Patel, M. Shami, H. Rana, K. Yadav. https://t.co/lWBc7oPRcd #INDvENG @IDFCFIRSTBank
— BCCI (@BCCI) February 6, 2025
ભારતની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર, શુભમન ગિલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી.
Rohit Sharma: ભવિષ્ય અંગે સવાલ કરવામાં આવતા ભડક્યો રોહિત શર્મા, પ્રેસ કોન્ફરન્સમાં આપ્યો જવાબ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
