શોધખોળ કરો

IND vs SA Final: જો ભારત ટી20 વર્લ્ડકપ ફાઇનલ હારી જશે તો શું કરશે રોહિત શર્મા ? દાદાનો આવ્યો જવાબ

Rohit Sharma T20 World Cup 2024 Final: રોહિત શર્માની કેપ્ટનશીપ વાળી ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ રમવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે

Rohit Sharma T20 World Cup 2024 Final: રોહિત શર્માની કેપ્ટનશીપ વાળી ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ રમવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ પહેલા રોહિત બ્રિગેડ લગભગ સાત મહિના પહેલા 2023 ODI વર્લ્ડકપની ફાઈનલ હારી ગઈ હતી. આવી સ્થિતિમાં આ વખતે ટીમ ઈન્ડિયા કોઈપણ ભોગે ટાઈટલ મેચ જીતીને ટ્રોફી જીતવા ઈચ્છશે. હવે જો રોહિત શર્મા 7 મહિનામાં તેની બીજી ICC ટ્રોફી ગુમાવે છે, તો તે શું કરશે ? આનો જવાબ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ આપ્યો હતો.

InsideSports માં પ્રકાશિત એક નિવેદન અનુસાર, દાદાએ કહ્યું કે જો રોહિત શર્મા તેની કેપ્ટનશીપ હેઠળ 7 મહિનામાં બે ટ્રોફી ગુમાવશે, તો તે કદાચ બાર્બાડોસમાં સમુદ્રમાં કૂદી જશે. તમને જણાવી દઈએ કે ટાઈટલ મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલમાં રમાશે.

ગાંગુલીએ કહ્યું, "મને નથી લાગતું કે તે સાત મહિનામાં બે વર્લ્ડકપ ફાઈનલ હારી શકે છે. જો તે કેપ્ટન તરીકે સાત મહિનામાં બે વર્લ્ડકપ ફાઈનલ હારી જશે તો તે બાર્બાડોસ માટે સમુદ્રમાં કૂદી પડશે. તેને ફ્રન્ટફૂટ પર કેપ્ટનશીપ કરી, શાનદાર બેટિંગ કરી અને  આઝાદી સાથે રમવું જોઈએ."

દાદાએ વધુમાં કહ્યું, "તેઓ સ્પર્ધામાં શ્રેષ્ઠ ટીમ રહી છે. હું તેમને શુભેચ્છા પાઠવું છું, હું આશા રાખું છું કે તેઓ જીતે. મને આશા છે કે તેઓનું થોડું નસીબ હશે કારણ કે મોટી ટૂર્નામેન્ટ જીતવી મહત્વપૂર્ણ છે."

એકપણ મેચ હાર્યા વિના ફાઇનલમાં પહોંચી ભારતીય ટીમ 
તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ એકપણ મેચ હાર્યા વિના 2024ના ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ગ્રુપ સ્ટેજમાં ટીમ ઈન્ડિયાએ 4માંથી 3 મેચ જીતી હતી અને બાકીની એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. આ પછી સુપર-8 સ્ટેજમાં ટીમ ઈન્ડિયાએ ત્રણેય મેચ જીતીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી અને પછી સેમિફાઈનલમાં જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. આ રીતે રોહિત બ્રિગેડ એકપણ મેચ હાર્યા વિના ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી.

                                                                                                                                            

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget