શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
શું ફિક્સ હતી 2011 વર્લ્ડ કપની ફાઈનલ મેચ? શ્રીલંકા સરકારે આપ્યા તપાસના આદેશ
શ્રીલંકાએ 1996 વર્લ્ડ કપ જીતનાર પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાએ પણ 2011 વર્લ્ડ કપ ફાઈનલ ફિક્સ હોવાના આરોપની તપાસની માગ કરી હતી.
![શું ફિક્સ હતી 2011 વર્લ્ડ કપની ફાઈનલ મેચ? શ્રીલંકા સરકારે આપ્યા તપાસના આદેશ what was the fix for the 2011 world cup final match sri lankan government ordered an inquiry શું ફિક્સ હતી 2011 વર્લ્ડ કપની ફાઈનલ મેચ? શ્રીલંકા સરકારે આપ્યા તપાસના આદેશ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/20171547/sri-lanka.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કોલંબોઃ 2011 વર્લ્કપની ફાઈનલ મેચ ભારત અને શ્રીલંકાની વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે જીત નોંધાવીને બીજી વખત વર્લ્ડકપ જીત્યો હતો. જોકે, હાલમાં જ શ્રીલંકાના પૂર્વ રમત પ્રધાન મહિદાનંદા અલુધગામેગેએ આ મેચ ફિક્સ હોવાનો આરોપ લગાવ્યો હતો.
શ્રીલંકા સરકારે આપ્યા તપાસના આદેશ
શ્રીલંકાના હાલમાં રતમ પ્રધાન ડલ્લાસ અલાહાપ્પેરુમાએ શુક્રવારે આ મેચની તપાસના આદેશ આપ્યા. તેની સાથે જ રમત પ્રધાને સમિતિને બે સપ્તાહની અંદર આ કેસમા સ્ટેટસ રિપોર્ટ આપવા માટે કહ્યું છે. રમત સચિવ કે રૂવાનચંદ્રાએ રમત પ્રધાનના આદેશ પર મંત્રાલયની તપાસ એકમ સામે ફરિયાદ નોંધાવી છે.
સંગાકારા અને જયાવર્ધનેએ પૂરાવા માગ્યા
પૂર્વ રમત મંત્રી મહિનાનંદાએ આરોપ લગાવ્યો હતો કે શ્રીલંકાએ 2011 વર્લ્ડકપની ફાઈનલ મેચ ભારતને વેચી દીધી હતી. તેમણે કહ્યું કે, ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ ફિક્સ હતી.
તેમણે કહ્યું, ‘આજે હું એક વખત ફરીથી તમને કહી રહ્યો છું કે, 2011 વર્લ્ડ કપ ફાઈનલ મેચ ફિક્સ હતી. આ મેચ શ્રીલંકાએ ભારતને વેચી દીધી હતી. જ્યારે હું રમત પ્રધાન હતો ત્યારે પણ મેં આવી વાત કહી હતી.’
જોકે, પૂર્વ ક્રિકેટર કુમાર સંગાકારા અને મહેલા જયાવર્ધનેએ મહિદાનંદાએ આ આરોપોને ફગાવી દીધા હતા. 2011 વર્લ્ડકપમાં શ્રીલંકાના કેપ્ટન રહેલ કુમાર સાંગાકારાએ કહ્યું, ‘તેણે (મહિદાનંદા)એ ફિક્સિંગને લઈને પોતાના પૂરાવા આઈસીસી અને ભ્રષ્ટાચાર વિરોધી એકમની પાસે લઈને જવું જોઈએ. જેથી કેસની વિસ્તૃત તપાસ થઈ શકે.’
ફાઈનલ મેચમાં સેન્ચુરી લગાવનાર મહેલા જયાવર્ધને પણ ફિક્સિંગની વાતને બકવાસ ગણાવી છે. તેમણે ટ્વીટ કર્યું કે, શું ચૂંટણી નજીક આવી ગઈ છે? કે આ સર્કસ શરૂ થઈ ગયું છે. નામ અને પૂરાવા?
તમારી જામકારી માટે જણાવીએ કે, શ્રીલંકાએ 1996 વર્લ્ડ કપ જીતનાર પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાએ પણ 2011 વર્લ્ડ કપ ફાઈનલ ફિક્સ હોવાના આરોપની તપાસની માગ કરી હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ગુજરાત
દેશ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)