શોધખોળ કરો
શું ફિક્સ હતી 2011 વર્લ્ડ કપની ફાઈનલ મેચ? શ્રીલંકા સરકારે આપ્યા તપાસના આદેશ
શ્રીલંકાએ 1996 વર્લ્ડ કપ જીતનાર પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાએ પણ 2011 વર્લ્ડ કપ ફાઈનલ ફિક્સ હોવાના આરોપની તપાસની માગ કરી હતી.

કોલંબોઃ 2011 વર્લ્કપની ફાઈનલ મેચ ભારત અને શ્રીલંકાની વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે જીત નોંધાવીને બીજી વખત વર્લ્ડકપ જીત્યો હતો. જોકે, હાલમાં જ શ્રીલંકાના પૂર્વ રમત પ્રધાન મહિદાનંદા અલુધગામેગેએ આ મેચ ફિક્સ હોવાનો આરોપ લગાવ્યો હતો.
શ્રીલંકા સરકારે આપ્યા તપાસના આદેશ
શ્રીલંકાના હાલમાં રતમ પ્રધાન ડલ્લાસ અલાહાપ્પેરુમાએ શુક્રવારે આ મેચની તપાસના આદેશ આપ્યા. તેની સાથે જ રમત પ્રધાને સમિતિને બે સપ્તાહની અંદર આ કેસમા સ્ટેટસ રિપોર્ટ આપવા માટે કહ્યું છે. રમત સચિવ કે રૂવાનચંદ્રાએ રમત પ્રધાનના આદેશ પર મંત્રાલયની તપાસ એકમ સામે ફરિયાદ નોંધાવી છે.
સંગાકારા અને જયાવર્ધનેએ પૂરાવા માગ્યા
પૂર્વ રમત મંત્રી મહિનાનંદાએ આરોપ લગાવ્યો હતો કે શ્રીલંકાએ 2011 વર્લ્ડકપની ફાઈનલ મેચ ભારતને વેચી દીધી હતી. તેમણે કહ્યું કે, ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ ફિક્સ હતી.
તેમણે કહ્યું, ‘આજે હું એક વખત ફરીથી તમને કહી રહ્યો છું કે, 2011 વર્લ્ડ કપ ફાઈનલ મેચ ફિક્સ હતી. આ મેચ શ્રીલંકાએ ભારતને વેચી દીધી હતી. જ્યારે હું રમત પ્રધાન હતો ત્યારે પણ મેં આવી વાત કહી હતી.’
જોકે, પૂર્વ ક્રિકેટર કુમાર સંગાકારા અને મહેલા જયાવર્ધનેએ મહિદાનંદાએ આ આરોપોને ફગાવી દીધા હતા. 2011 વર્લ્ડકપમાં શ્રીલંકાના કેપ્ટન રહેલ કુમાર સાંગાકારાએ કહ્યું, ‘તેણે (મહિદાનંદા)એ ફિક્સિંગને લઈને પોતાના પૂરાવા આઈસીસી અને ભ્રષ્ટાચાર વિરોધી એકમની પાસે લઈને જવું જોઈએ. જેથી કેસની વિસ્તૃત તપાસ થઈ શકે.’
ફાઈનલ મેચમાં સેન્ચુરી લગાવનાર મહેલા જયાવર્ધને પણ ફિક્સિંગની વાતને બકવાસ ગણાવી છે. તેમણે ટ્વીટ કર્યું કે, શું ચૂંટણી નજીક આવી ગઈ છે? કે આ સર્કસ શરૂ થઈ ગયું છે. નામ અને પૂરાવા?
તમારી જામકારી માટે જણાવીએ કે, શ્રીલંકાએ 1996 વર્લ્ડ કપ જીતનાર પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાએ પણ 2011 વર્લ્ડ કપ ફાઈનલ ફિક્સ હોવાના આરોપની તપાસની માગ કરી હતી.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
દેશ
Advertisement