શોધખોળ કરો

Emerging Teams Asia Cup 2023: ભારત-એએ યૂએઇ-એને 8 વિકેટથી હરાવ્યું, કેપ્ટન યશ ધુલે ફટકારી અણનમ સદી

UAE દ્વારા આપવામાં આવેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 26.3 ઓવરમાં 2 વિકેટો ગુમાવીને આ ટાર્ગેટને હાંસલ કરી લીધો હતો.

India A vs UAE A ACC Mens Emerging Teams Asia Cup 2023: ભારત-A એ ACC મેન્સ ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2023ની ત્રીજી મેચમાં UAE-A ને 8 વિકેટથી હરાવી દીધુ છે. ભારતીય કેપ્ટન યશ ધુલે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેને અણનમ સદી ફટકારી હતી. પ્રથમ બેટિંગ કરતા UAE-Aએ 50 ઓવરમાં 176 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ભારતે 2 વિકેટ ગુમાવીને 26.3 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી નિકિન જૉસે અણનમ 41 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.

UAE દ્વારા આપવામાં આવેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 26.3 ઓવરમાં 2 વિકેટો ગુમાવીને આ ટાર્ગેટને હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી સાઈ સુદર્શન અને અભિષેક શર્મા ઓપનિંગ કરવા આવ્યા હતા, પરંતુ આ બંને બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યા ન હતા. સુદર્શન 8 બૉલમાં 8 રન બનાવીને આઉટ થયો હતો. અભિષેક 19 રન બનાવીને આઉટ થયો હતો.

યશે કેપ્ટનશિપની ઇનિંગ રમી હતી. તેને 84 બૉલનો સામનો કરીને અણનમ 108 રન બનાવ્યા હતા. યશની ઇનિંગમાં 20 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે જ નિકિને 53 બૉલમાં અણનમ 41 રન બનાવ્યા હતા. તેને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. આ રીતે ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત નોંધાવી હતી.

UAEની ટીમ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 175 રન જ બનાવી શકી, ઓપનર આર્યનશ શર્માએ 42 બોલમાં 38 રન બનાવ્યા. આર્યંશે 7 ચોગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન વલથપા ચિદમ્બરમે 107 બૉલમાં 46 રન બનાવ્યા હતા. તે એક પણ બાઉન્ડ્રી લગાવી શક્યા ન હતા. મોહમ્મદ ફરાજુદ્દીને 88 બૉલમાં 35 રન બનાવ્યા હતા. આ ઉપરાંત કોઈપણ ખેલાડી ક્રિઝ પર લાંબો સમય ટકી શક્યો નહોતો.

ભારત તરફથી હર્ષિત રાણાએ 4 વિકેટો ઝડપી હતી. તેને 9 ઓવરમાં 41 રન આપ્યા હતા. નીતિશ રેડ્ડીએ 5 ઓવરમાં 32 રન આપ્યા અને 2 વિકેટ લીધી. માનવ સુથારે 10 ઓવરમાં 28 રન આપીને 2 વિકેટો ઝડપી હતી. આકાશ સિંહે 4.3 ઓવરમાં 10 રન આપીને એક વિકેટ ઝડપી હતી. 

પાકિસ્તાનના દબાણ બાદ શું એશિયા કપ રમવા ભારતીય ટીમ પાકિસ્તાન જશે ? સામે આવ્યુ મોટુ અપડેટ

ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે ફેન્સ હવે થોડાક સમયમાં એશિયા કપની મેચોની રાહ જોઇને બેઠાં છે, આ એશિયા કપ 2023 ભારતની મેચો શ્રીલંકામાં રમાશે. ડરબનમાં ભારતીય ક્રિકેટ કંટ્રૉલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચીફ ઝકા અશરફ વચ્ચેની બેઠક બાદ આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. પાકિસ્તાનને આ વખતે હાઇબ્રિડ મૉડલ હેઠળ એશિયાની યજમાની કરવાનો અધિકાર છે, પરંતુ તે ઘરઆંગણે માત્ર 4 મેચોનું આયોજન કરશે, જ્યારે ટૂર્નામેન્ટની બાકીની મેચો શ્રીલંકામાં રમાશે. એશિયા કપ શિડ્યૂલને અંતિમ સ્વરૂપ આપવા માટે ડરબનમાં ICC બૉર્ડની બેઠક પહેલા જય શાહ અને ઝકા અશરફે અનૌપચારિક બેઠક કરી હતી. આ અંગે આઈપીએલના અધ્યક્ષ અરુણ ધૂમલે પોતાના નિવેદનમાં પીટીઆઈને જણાવ્યું કે અમારા સચિવ પીસીબીના વડા ઝકા અશરફને મળ્યા અને એશિયા કપના શિડ્યૂલ અંગે ચર્ચા કરી જે હવે આગળ વધી ગઈ છે. અરુણ ધૂમલે પણ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે, ભારતીય ટીમ આગામી એશિયા કપમાં પોતાની તમામ મેચો માત્ર શ્રીલંકામાં જ રમશે. તેને કહ્યું કે, એશિયા કપ 2023માં લીગ સ્ટેજની 4 મેચ પાકિસ્તાનમાં યોજાશે, ત્યારબાદ બાકીની મેચો શ્રીલંકામાં રમાશે, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની 2 મેચનો સમાવેશ થાય છે. જો બંને ટીમો ફાઇનલમાં પહોંચશે તો ત્રીજી મેચ પણ શ્રીલંકામાં રમાશે.

ભારતીય ટીમ અને સચિવ જય શાહ નહીં કરે પાકિસ્તાનનો પ્રવાસ- 
પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, BCCI સેક્રેટરી જય શાહને એશિયા કપ દરમિયાન પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અંગે અરુણ ધૂમલે કહ્યું કે આવી કોઈ ચર્ચા થઈ નથી, ના તો ભારતીય ટીમ ત્યાં જઈ રહી છે કે ના તો સચિવ જય શાહ પાકિસ્તાનની મુલાકાત લેશે. આ બેઠક માત્ર એશિયા કપના કાર્યક્રમને અંતિમ રૂપ આપવા માટે કરવામાં આવી છે.

ભારતના ગ્રુપમાં પાકિસ્તાન અને નેપાળ

આ વખતે એશિયા કપ ODI ફોર્મેટમાં રમાશે અને તેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ ભાગ લેવાના છે. ભારત, નેપાળ અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં સામેલ છે. જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન બીજા ગ્રુપમાં રહેશે.

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
Advertisement

વિડિઓઝ

Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત
Lavingji Thakor News: પાટણના રાધનપુર ભાજપના MLA લવિંગજી ઠાકોર સામે ગંભીર આરોપ
MP Mayank Nayak: રાજ્યસભા સાંસદ મયંક નાયકે ખેડૂતો મુદ્દે રાજ્યસભામાં ઉઠાવ્યો અવાજ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
સલમાન અને શાહરૂખ ખાનને આ 27 વર્ષના છોકરાએ ધૂળ ચટાડી દીધી, સૈયારાએ 5 દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા આ રેકોર્ડ
સલમાન અને શાહરૂખ ખાનને આ 27 વર્ષના છોકરાએ ધૂળ ચટાડી દીધી, સૈયારાએ 5 દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા આ રેકોર્ડ
ભારત સામેની ચોથી ટેસ્ટમાં જો રૂટ ઇતિહાસ રચવા તૈયાર: 7 મોટા રેકોર્ડ તોડવાની નજીક
ભારત સામેની ચોથી ટેસ્ટમાં જો રૂટ ઇતિહાસ રચવા તૈયાર: 7 મોટા રેકોર્ડ તોડવાની નજીક
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
Embed widget