શોધખોળ કરો

Yuzvendra Chahal-Dhanashree Verma: ધનશ્રી વર્માએ નામ આગળથી 'ચહલ' હટાવવા પર યુઝવેન્દ્રએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?

Yuzvendra Chahal News : એક પોસ્ટ શેર કરીને યુઝવેન્દ્ર ચહલે દરેકને અપીલ કરી છે કે તેઓ કોઈપણ પ્રકારની અટકળો પર વિશ્વાસ ન કરે.

Yuzvendra Chahal : ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે પોતાના અંગત જીવનને લઈને થઈ રહેલી અટકળો પર મૌન તોડ્યું છે. ગુરુવારે સવારથી સોશિયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી છે કે યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચેના સંબંધોમાં બધુ બરાબર નથી. હવે એક પોસ્ટ શેર કરીને યુઝવેન્દ્ર ચહલે દરેકને અપીલ કરી છે કે તેઓ કોઈપણ પ્રકારની અટકળો પર વિશ્વાસ ન કરે.

શું કહ્યું યુઝવેન્દ્ર ચહલે ? 
ગુરુવારે સાંજે યુઝવેન્દ્ર ચહલે તેના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી, જેમાં તેણે ચાહકો માટે એક સંદેશ લખ્યો - “અમારા સંબંધોને લઈને કોઈપણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરતા સૌને વિનંતી. મહેરબાની કરીને આને તાત્કાલિક બંધ કરો.”  આ સાથે યુઝવેન્દ્ર ચહલે હાથ મિલાવતા ઇમોજી પણ શેર કર્યા હતા.


Yuzvendra Chahal-Dhanashree Verma: ધનશ્રી વર્માએ નામ આગળથી 'ચહલ' હટાવવા પર યુઝવેન્દ્રએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?

ચહલ અને ધનશ્રીની પોસ્ટના કારણે શરુ થઈ ચર્ચા
ભારતીય ક્રિકેટર અને સ્ટાર બોલર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. થોડા સમય પહેલાં ટ્વીટર પર ચહલ અને ધનશ્રીનું નામ ટ્રેન્ડ થવા લાગ્યું હતું અને એવા સમાચાર આવ્યા હતા કે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીએ પંજાબ હાઈકોર્ટમાં છૂટાછેડા લેવા માટે અરજી કરી છે. 

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી પોતાની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે સતત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ધનશ્રીએ તેના ઇન્સ્ટાગ્રામ બાયોમાંથી તેની સરનેમ કાઢી નાખી હતી, ત્યારબાદ યુઝવેન્દ્ર ચહલ દ્વારા એક રહસ્યમય પોસ્ટ કરવામાં આવી હતી. જેના કારણે આ કપલના છૂટાછેડાની અટકળો શરૂ થઈ હતી. ધનશ્રી વર્માએ તેના ઈન્સ્ટાગ્રામ નામમાંથી 'ચહલ' કાઢી નાખ્યું હતું. ધનશ્રીએ ચહલનું નામ હટાવ્યા પછી તરત જ, 16 ઓગસ્ટના રોજ, યુઝવેન્દ્ર ચહલે તેના ઈંસ્ટાગ્રામ પર જઈને એક સ્ટોરી પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, "ન્યુ લાઈફ લોડિંગ...."

ANIએ ટ્વીટર પોસ્ટ અંગે કરી સ્પષ્ટતા
યુઝવેન્દ્ર ચહલની આ પોસ્ટ બાદ ધનશ્રી અને ચહલની મેરેજ લાઈફ અંગે ચર્ચા શરુ થઈ હતી. ત્યાર બાદ ટ્વીટર પર સમાચાર એજન્સી ANIના ફેક એકાઉન્ટ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું હતું. જેમં લખવામાં આવ્યું હતું કે, યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીએ છૂટાછેડા લેવા માટે પંજાબ હાઈકોર્ટમાં અરજી કરી છે. જો કે, સમાચાર એજન્સી ANIએ આ સમાચાર પોસ્ટ અંગે સ્પષ્ટતા કરી હતી કે, ANI દ્વારા આવા કોઈ સમાચાર પ્રકાશિત કરવામાં નથી આવ્યા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, અફઘાનિસ્તાન વિરુદ્ધ આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, અફઘાનિસ્તાન વિરુદ્ધ આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
'ટેસ્ટમાં ઓપન કરે વૈભવ સૂર્યવંશી...', 15 વર્ષના આ ખેલાડી પર વિદેશી ખેલાડી પર થયા આફરીન
'ટેસ્ટમાં ઓપન કરે વૈભવ સૂર્યવંશી...', 15 વર્ષના આ ખેલાડી પર વિદેશી ખેલાડી પર થયા આફરીન
'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી
'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી
અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અગાઉ ભારતીય ખેલાડીએ લીધી નિવૃતિ, અચાનક નિર્ણય લઈ ફેન્સને ચોંકાવ્યા
અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અગાઉ ભારતીય ખેલાડીએ લીધી નિવૃતિ, અચાનક નિર્ણય લઈ ફેન્સને ચોંકાવ્યા

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
Googleમાં ફરી છટણી! ક્લાઉડ અને ટૉપ સાયબર સિક્યોરિટી ટીમના કર્મચારીઓએ ગુમાવી નોકરી
Googleમાં ફરી છટણી! ક્લાઉડ અને ટૉપ સાયબર સિક્યોરિટી ટીમના કર્મચારીઓએ ગુમાવી નોકરી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 
મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 
FIFA World Cup 2026: 12 જૂનથી શરૂ થશે ફિફા વર્લ્ડકપ, વિજેતા ટીમને મળે છે દુનિયાની સૌથી મોંઘી ટ્રોફી
FIFA World Cup 2026: 12 જૂનથી શરૂ થશે ફિફા વર્લ્ડકપ, વિજેતા ટીમને મળે છે દુનિયાની સૌથી મોંઘી ટ્રોફી
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Rajkot: રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત, કાર વૃક્ષ સાથે અથડાતા પૂજા રાજગોરનું મોત
Rajkot: રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત, કાર વૃક્ષ સાથે અથડાતા પૂજા રાજગોરનું મોત
Embed widget