વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે કોઈ મુદ્દાને લઈને મતભેદ થયા છે. સોશિયલ મીડિયા પર બંનેએ એકબીજાને અનફોલો કરી દીધા છે. રોહિતે વિરાટની પત્ની અનુષ્કાને પણ અનફોલો કરી દીધી છે.
2/6
BCCIના અધિકારીઓએ આ વાતને રદિયો આપી દીધો છે. BCCIએ નારાજ ખેલાડીઓ સાથે વાત કરી હોવાનો પણ દાવો કર્યો છે. જેથી ટીમ ઓસ્ટ્રેલિયા જાય તે પહેલાં જ આ મુદ્દો ઉકલી જાય. વિરાટ કોહલી અને ટીમ વચ્ચે અણબનાવની ખબરો છેલ્લા કેટલાંય સમયથી આવી રહી છે. એશિયા કપ બાદ રોહિત શર્માએ કેપ્ટન બનવાની તૈયારી દર્શાવી હતી. આ ખબર બાદ ફરી અનુષ્કાને નિશાના પર લેવામાં આવી રહી છે.
3/6
રિપોર્ટ અનુસાર, અનુષ્કાની હાજરીથી ટીમના કેટલાંય ખેલાડીઓ ખુશ નથી. અનુષ્કા ઘણી વખત ટીમની મીટિંગમાં પણ જોવા મળે છે. ચર્ચા મુજબ અનુષ્કાએ ઈંગ્લેન્ડની ટ્રિપ દરમિયાન આયશા સાથે તેના પરિવાર અંગે ઘણી વાત કરી હતી ત્યાર બાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ટીમના અન્ય સભ્યોને પણ તેમની વચ્ચેના મતભેદો અંગે જાણ થઈ હતી અને શિખર ધવનને ટીમમાંથી આઉટ થવાની ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
4/6
ટીમ ઈંગ્લેન્ડમાં હતી ત્યારે વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા અને શિખર ધવનની પત્ની આયેશા વચ્ચે વિવાદ થયો હતો. ત્યાર બાદ શિખરને ટીમમાંથી આઉટ કરવાની વાત ચાલી હતી. જોકે ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝથી અલગ એશિયા કપમાં શિખરનું પરફોર્મન્સ સારું રહ્યું હતું. એશિયા કપમાં કોહલી રમ્યો નહતો.
5/6
એક રિપોર્ટ અનુસાર, ટીમના સીનિયર ખેલાડી વિરાટ કોહલી અને ટીમ મેનેજમેન્ટથી ખુશ નથી. રોહિત શર્માએ ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર વિરાટ કોહલીને અનફોલો કરી દીધો હોવાથી આ વાતને હવા મળી ગઈ છે. શિખર ધવનને ટીમમાંથી બહાર કઢાતા આ વિવાદને વધુ હવા મળી છે.
6/6
નવી દિલ્હી: હાલ ટીમ ઈન્ડિયામાં બધુ બરાબર ચાલી રહ્યું નથી. હવે ખેલાડીઓની પત્નીઓ વચ્ચે થતી તૂ-તૂ મેં-મેં ખેલાડીઓને ભારે પડી રહી છે. છેલ્લા કેટલાંય સમયથી કેપ્ટન્સીને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને ટીમમાં સિલેક્શન અંગે પણ મતભેદો જોવા મળી રહ્યા છે.