શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ટીમ ઇન્ડિયામાંથી પડતા મુકાયા બાદ ભડક્યો ઉમેશ યાદવ, કહ્યુ- ટીમની બહાર થવાથી મનોબળ તૂટ્યું
ઉમેશ યાદવને વિશ્વકપ માટેની ભારતીય ટીમમાં પણ સ્થાન આપવામાં આવ્યું નથી. તેણે કહ્યું કે, તેના માટે કાંઇ પણ સારુ નથી થઇ રહ્યું અને વધતા દબાણની તેની બોલિંગ પણ અસર પડી છે.
![ટીમ ઇન્ડિયામાંથી પડતા મુકાયા બાદ ભડક્યો ઉમેશ યાદવ, કહ્યુ- ટીમની બહાર થવાથી મનોબળ તૂટ્યું Getting dropped from Indian team led to poor form, says Umesh Yadav ટીમ ઇન્ડિયામાંથી પડતા મુકાયા બાદ ભડક્યો ઉમેશ યાદવ, કહ્યુ- ટીમની બહાર થવાથી મનોબળ તૂટ્યું](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/01214304/555_1556708597_618x347.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ રોયલ ચેલેન્જર્સ બેગ્લોરના ઝડપી બોલર ઉમેશ યાદવે કહ્યું હતું કે, ભારતીય ટીમમાં કેટલીક મેચ બાદ ટીમની અંદર-બહાર રહેવાના કારણે તેનું મનોબળ તૂટી ગયુ છે અને તેના કારણે તેનું ફોર્મ પણ ખરાબ થઇ ગયું છે. ઉમેશ યાદવને વિશ્વકપ માટેની ભારતીય ટીમમાં પણ સ્થાન આપવામાં આવ્યું નથી. તેણે કહ્યું કે, તેના માટે કાંઇ પણ સારુ નથી થઇ રહ્યું અને વધતા દબાણની તેની બોલિંગ પણ અસર પડી છે.
ઉમેશ યાદવે કહ્યું કે, તમામ લોકો કહી રહ્યા છે કે હું સારી બોલિંગ કરી રહ્યો નથી. આવું કેમ થઇ રહ્યું છે. કારણ કે છેલ્લા બે વર્ષોમાં સ્થાનિક સ્તરે તમામ ફોર્મેટમાં હું મેચ રમ્યો છું પરંતુ તેમ છતાં મે એટલી વન-ડે કે ટી-20 મેચ નથી રમી. મને ફક્ત બે કે ત્રણ મેચ માટે પસંદ કરવામાં આવતો અને પછી ટીમમાંથી બહાર કરી દેવામાં આવતો. ઉમેશ યાદવે તેની છેલ્લી વન-ડે મેચ 24 ઓક્ટોબર 2018ના રોજ વેસ્ટ ઇન્ડિઝ સામે રમી હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)