શોધખોળ કરો

Hockey India: ભારતીય હૉકી ટીમમાંથી 16 નંબરની જર્સી કેમ કરાઇ રિટાયર, હવે કોઇ પહેરી શકશે નહી

ભારતીય હૉકી ટીમના મહાન ગોલકીપર પીઆર શ્રીજેશે પેરિસ ઓલિમ્પિક પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી

ભારતીય હૉકી ટીમના મહાન ગોલકીપર પીઆર શ્રીજેશે પેરિસ ઓલિમ્પિક પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. ગોલ્ડ મેડલનું સપનું લઈને આવેલા આ ખેલાડીની ઈચ્છા તો પૂરી ન થઈ પરંતુ તે પેરિસ ઓલિમ્પિકમાંથી ખાલી હાથ પાછો ફર્યો નહીં. ભારતીય ટીમે બ્રોન્ઝ મેડલ જીતીને પોતાના સ્ટાર ગોલકીપરને યાદગાર વિદાય આપી હતી. હૉકી ઈન્ડિયાએ પીઆર શ્રીજેશને લઈને મોટો નિર્ણય લીધો છે. આ દિગ્ગજની સાથે તેની 16 નંબરની જર્સી પણ રિટાયર કરવામાં આવી છે.

હૉકી ઈન્ડિયાએ બુધવારે જાણીતા ગોલકીપર પીઆર શ્રીજેશની 16 નંબરની જર્સી નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં સમાપ્ત થયેલ પેરિસ ગેમ્સમાં દેશને સતત બીજો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવ્યા બાદ શ્રીજેશે રમતમાંથી નિવૃત્તિ લીધી હતી. હૉકી ઈન્ડિયાના મહાસચિવ ભોલા નાથ સિંહે પણ જાહેરાત કરી હતી કે લગભગ બે દાયકાથી 16 નંબરની જર્સી પહેરનાર 36 વર્ષીય શ્રીજેશ જૂનિયર રાષ્ટ્રીય કોચની ભૂમિકા નિભાવશે.

શ્રીજેશના સન્માનમાં આયોજિત એક કાર્યક્રમમાં ભોલા નાથે કહ્યું હતું કે , “શ્રીજેશ હવે જૂનિયર ટીમનો કોચ બનવા જઈ રહ્યો છે. અમે સિનિયર ટીમ માટે 16 નંબરની જર્સી નિવૃત્ત કરી રહ્યા છીએ. અમે જૂનિયર ટીમ માટે 16 નંબરની જર્સી નિવૃત્ત નથી કરી રહ્યા. શ્રીજેશ જૂનિયર ટીમમાં બીજા શ્રીજેશને તૈયાર કરશે. 

નોંધનીય છે કે જો કે પીઆર શ્રીજેશ હવે ભારતીય હૉકી ટીમનો ભાગ નહીં હોય પરંતુ તેણે પોતાની કારકિર્દીને નવા વળાંક આપવાનો નિર્ણય કર્યો હતો. હૉકી ઈન્ડિયાના મહાસચિવ ભોલા નાથ સિંહે જાહેરાત કરી કે શ્રીજેશ ભારતીય જૂનિયર પુરૂષ હોકી ટીમના મુખ્ય કોચની ભૂમિકા નિભાવશે. તેમણે કહ્યું હતું કે  "ગોલકીપર પીઆર શ્રીજેશ આજે તેની છેલ્લી મેચ રમી ચૂક્યો છે, પરંતુ હું એ જાહેરાત કરવા માંગુ છું કે શ્રીજેશ જૂનિયર ભારતીય હોકી ટીમનો મુખ્ય કોચ હશે. અમે આ મામલે એસએઆઇ અને ભારત સરકાર સાથે ચર્ચા કરીશું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

SRHને તેના જ ઘરમાં લખનૌએ ધૂળ ચટાડી, પહેલા શાર્દુલે તરખાટ મચાવ્યો પછી પૂરન-માર્શનું તોફાન
SRHને તેના જ ઘરમાં લખનૌએ ધૂળ ચટાડી, પહેલા શાર્દુલે તરખાટ મચાવ્યો પછી પૂરન-માર્શનું તોફાન
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News: વડોદરામાં ઉઠ્યા દારૂબંધીના લીરેલીરા, ચાર શખ્સોનો દારૂની બોટલ સાથેનો VIDEO VIRALHun To Bolish : હું તો બોલીશ : નેનો માટે કોઈનું નાટક નહીં ચાલેHun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટ અધિકારીઓને સજા કેમ નહીં?Chaitar Vasava: વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવા મુદ્દે હવે નવો વિવાદ, ચૈતર વસાવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SRHને તેના જ ઘરમાં લખનૌએ ધૂળ ચટાડી, પહેલા શાર્દુલે તરખાટ મચાવ્યો પછી પૂરન-માર્શનું તોફાન
SRHને તેના જ ઘરમાં લખનૌએ ધૂળ ચટાડી, પહેલા શાર્દુલે તરખાટ મચાવ્યો પછી પૂરન-માર્શનું તોફાન
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
Bollywood: શું જેલમાં જશે બોલિવૂડનો આ ધાકડ એક્ટર? કરોડોની છેતરપીંડીનો છે મામલો
Bollywood: શું જેલમાં જશે બોલિવૂડનો આ ધાકડ એક્ટર? કરોડોની છેતરપીંડીનો છે મામલો
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી',  CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી', CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
Embed widget