શોધખોળ કરો

IND vs SL: ભારતના કયા તોફાની બેટ્સમેનને પોતાના જન્મદિવસે જ મળ્યુ વનડે ટીમમાં ડેબ્યૂ, આઇપીએલમાં મચાવી ચૂક્યો છે ધમાલ

પ્રથમ વનડેમાં કેપ્ટન શિખર ધવને યુવા ખેલાડીઓને મોકો આપ્યો છે. ઇશાન કિશન અને સૂર્ય કુમાર યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ખાસ વાત છે કે ઇશાન કિશનને વિકેટકીપર તરીકે ટીમમાં મોકો મળ્યો છે,

નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે આજથી ત્રણ વનડે મેચોની સીરીઝ શરૂ થઇ રહી છે. પ્રથમ વનડેમાં શ્રીલંકાન ટીમના કેપ્ટન દાસુન શનાકાએ ટૉસ જીતીને ભારતીય ટીમને પહેલા ફિલ્ડિંગ કરવા મેદાનમાં ઉતારી છે, જ્યારે શ્રીલંકાએ પહેલા બેટિંગ કરવાનો ફેસલો કર્યો છે. આજની મેચ કૉલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ખાસ વાત છે કે ભારતીય ટીમ સીનિયર ખેલાડીઓ વિના આ પ્રવાસ કરી રહી છે. આ પ્રવાસમાં બીસીસીઆઇએ કેપ્ટન તરીકે અનુભવી બેટ્સમેને શિખર ધવનને ટીમની કમાન સોંપી છે,  જ્યારે કૉચ તરીકેની જવાબદારી પૂર્વ બેટ્સમેન રાહુલ દ્રવિડને સોંપવામા આવી છે. 

પ્રથમ વનડેમાં કેપ્ટન શિખર ધવને યુવા ખેલાડીઓને મોકો આપ્યો છે. ઇશાન કિશન અને સૂર્ય કુમાર યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ખાસ વાત છે કે ઇશાન કિશનને વિકેટકીપર તરીકે ટીમમાં મોકો મળ્યો છે, આ સાથે જે ઇશાન કિશનને વનડેમાં ડેબ્યૂ કેપ મળી છે, ઇશાન કિશન માટે આજનો દિવસ ખાસ છે કેમકે એક બાજુ તેને વનડે ટીમની કેપ મળી છે તો બીજી બાજુ તેનો આજે જન્મ દિવસ છે. ઇશાન કિશન આજના દિવસે એટલેકે 18મી જુલાઇ 1998ના દિવસે બિહારના બોઘગયામાં જન્મ્યો હતો. 

ઇશાન કિશન વિશે.....
ઇશાન કિશન આજે વનડે ક્રિકેટમાં ડેબ્યૂ કરી રહ્યો છે, આ પહેલા તેને ટી20 ક્રિકેટમાં ડેબ્યૂ કેપ મળી ચૂકી છે. ઇશાને ભારતીય ટીમ તરફથી માત્ર બે જ ટી20 મેચો રમી છે, જેમાં તેને 60 રન ફટકાર્યા છે, તેમાં એક અડધીસદી પણ સામેલ છે. ખાસ વાત છે કે ઇશાન કિશન આઇપીએલમાં જબરસદસ્ત રીતે ફોર્મમાં છે. તેને 56 આઇપીએલ મેચોમાં 1284 રન કર્યા છે. 

શ્રીલંકા સામેની ત્રણ વનડે સીરીઝ બાદ ભારતીય ટીમ ત્રણ ટી20 મેચો રમવાની છે. આ બન્ને સીરીઝમાં ટીમના સ્ટાર ખેલાડીઓ સામેલ નથી થયા. કોહલી, રોહિત, બુમરાહ, પંત જેવા ખેલાડીઓ હાલ ઇંગ્લેન્ડમાં છે જેથી શ્રીલંકા પ્રવાસમાં શિખર ધવન, ભુવનેશ્વરની આગેવાનીમાં ભારતની બીજી ટીમ રમી રહી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
Embed widget