![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
હાર બાદ પાકિસ્તાની પત્રકારે વિરાટને શું પુછ્યુ કે તે ભડકી ગયો ને કહેવા લાગ્યો તુ એકવાર..................
વર્લ્ડકપ પહેલીવાર ભારતના હારવા પર પાકિસ્તાની પત્રકાર હોશ ખોઇ બેઠો અને પ્રેસ કૉન્ફરન્સમાં વિરાટને બેતુકા સવાલો પુછવા લાગ્યો હતો.
![હાર બાદ પાકિસ્તાની પત્રકારે વિરાટને શું પુછ્યુ કે તે ભડકી ગયો ને કહેવા લાગ્યો તુ એકવાર.................. india vs pakistan : virat kohli angry on pakistan reporters after lost match હાર બાદ પાકિસ્તાની પત્રકારે વિરાટને શું પુછ્યુ કે તે ભડકી ગયો ને કહેવા લાગ્યો તુ એકવાર..................](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/25/30b8d5653b43e7b6833bd6c03e7d2814_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
દુબઇઃ આઇસીસીર ટી20 વર્લ્ડકપમાં રવિવારે પાકિસ્તાને ભારતને 10 વિકેટથી હરાવી દીધુ. આ શરમજનક હારની સાથે ભારતનો વર્લ્ડકપ મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ ક્યારેય ના હારવાનો સિલસિલો તુટી ગયો છે. ટીમ ઇન્ડિયાને પાકિસ્તાનના હાથોએ એકતરફી હારનો સામનો કરવો પડ્યો. વર્લ્ડકપ પહેલીવાર ભારતના હારવા પર પાકિસ્તાની પત્રકાર હોશ ખોઇ બેઠો અને પ્રેસ કૉન્ફરન્સમાં વિરાટને બેતુકા સવાલો પુછવા લાગ્યો હતો. જોકે, બાદમાં વિરાટ કોહલીએ પાકિસ્તાની પત્રકારને આડેહાથે લીધો હતો અને બોલતી બંધ કરી દીધી હતી. પાકિસ્તાની પત્રકારના સવાલોથી વિરાટ ગુસ્સે થઇ ગયો હતો.
મેચ હાર્યા બાદ પ્રેસ કૉન્ફરન્સ થઇ હતી, આ દરમિયાન પાકિસ્તાની પત્રકારે વિરાટને એક બેતુકો સવાલ પુછ્યો. પત્રકાર સૈય્યદ હૈદરે ભારતીય કેપ્ટન વિરાટને પુછ્યુ કે આજે તેમને રોહિતની જગ્યાએ ઇશાન કિશનને રમાડવો જોઇતો હતો, સારા ફોર્મમાં હતો. બસ, પત્રકારના આ સવાલ પર વિરાટ ભડકી ગયો અને તેને પત્રકારની ક્લાસ લગાવી દીધી. વિરાટે પાકિસ્તાની પત્રકારને આડેહાથે લેતા કહ્યું કે, શું તમે કેપ્ટન હોતા તો રોહિત શર્માને ટી20 ટીમમાંથી બહાર કરી દેતા? આના પર પાકિસ્તાની પત્રકારની બોલતી બંધ થઇ ગઇ હતી, અને તે હંસવા લાગ્યો. વિરાટે આગળ જવાબ આપતા કહ્યું કે જો વિવાદ જ ઉભો કરવો છે, તો પહેલા બતાવી દો, હુ પણ તે જ પ્રમાણે જવાબ આપુ.
બીજા એક પાકિસ્તાની પત્રકાર સવીરા પાશાએ પાકિસ્તાની જીત બાદ નશેમાં ધૂત થઇને વિરાટ કોહલીને પ્રશ્ન પુછ્યો કે શું ભારત પાકિસ્તાન સામે Over-Confidenceના કારણે હાર્યુ, શું ભારતીય ટીમે ICC ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન વિરુદ્ધ પોતાના રેકોર્ડને જોતા વધુ એકગ્રતા ના બતાવી અને વિચાર્યુ કે આગળની મેચમાં ભારત વધુ એકાગ્ર થઇને રમશે. ?
આ પાકિસ્તાની પત્રકારને વિરાટે લતાડ લગાવતા કહ્યું કે- જે બહારથી સવાલો પુછી રહ્યાં છે, તે એકવાર અમારી કિટ પહેરીને મેદાન પર આવે. ત્યારે તેમને ખબર પડશે કે પ્રેશર શું હોય છે. પાકિસ્તાન ટીમ પોતાનો દિવસ હોય ત્યારે ગમે તેને હરાવી શકે છે. વિરાટે આગળ જવાબ આપતા કહ્યું કે તેમની ટીમ કોઇપણ ટીમને હલ્કામાં નથી લેતી, અને તમામ લોકોની સામે સારુ રમવા માટે મેદાનમાં ઉતરે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)