શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IND vs SA: ઇજાગ્રસ્ત કુલદીપ યાદવના સ્થાને નદીમનો ટીમ ઇન્ડિયામાં કરાયો સમાવેશ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ શનિવારે રાંચીમાં રમાશે
![IND vs SA: ઇજાગ્રસ્ત કુલદીપ યાદવના સ્થાને નદીમનો ટીમ ઇન્ડિયામાં કરાયો સમાવેશ India vs South Africa: Kuldeep Yadav ruled out of Ranchi Test due to shoulder injury, IND vs SA: ઇજાગ્રસ્ત કુલદીપ યાદવના સ્થાને નદીમનો ટીમ ઇન્ડિયામાં કરાયો સમાવેશ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/18223829/4.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ આવતીકાલે શરૂ થનારી સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઇન્ડિયામાં લેગ સ્પિનર શાહબાઝ નદીમનો સમાવેશ કરાયો છે. નદીમને કુલદીપ યાદવ ઇજાગ્રસ્ત થતાં ટીમમાં સામેલ કરાયો છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ શનિવારે રાંચીમાં રમાશે. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા શાનદાર પ્રદર્શન કરી રહી છે અને શરૂઆતની બંન્ને ટેસ્ટ જીતીને સીરિઝમાં 2-0થી લીડ મેળવી છે.
નદીમે અત્યાર સુધીમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમી નથી. જો રાંચીમાં તેને પ્લેઇંગ ઇલેવનમાં રમવાની તક મળશે તો તે ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરશે. 30 વર્ષના લેફ્ટ આર્મ સ્પિનર શાહબાઝ આઇપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમી ચૂક્યો છે. બિહારમાં જન્મેલા શાહબાઝ સ્થાનિક ક્રિકેટમાં ઝારખંડ માટે રમે છે. તેણે અત્યાર સુધીમાં 111 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે જેમાં તેણે 424 વિકેટ ઝડપી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)