શોધખોળ કરો

IPL 2023 Final: જો 'રિઝર્વ ડે' પર પણ ચેન્નઇ અને ગુજરાત વચ્ચેની ફાઇનલ નહી રમાય તો કોણ બનશે ચેમ્પિયન ?, જાણો વિગતો

રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની ફાઈનલ મેચ રમાઈ શકી ન હતી.

CSK vs GT, IPL Final: રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની ફાઈનલ મેચ રમાઈ શકી ન હતી. વાસ્તવમાં વરસાદને કારણે બંને ટીમો વચ્ચે મેચ રમાઈ શકી ન હતી. જોકે, ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે કે IPL ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. મતલબ, હવે સોમવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ફાઇનલ મેચ રમાશે, પરંતુ જો સોમવારે પણ અમદાવાદમાં વરસાદ પડે અને મેચ ન થાય તો શું થશે. તો પછી વિજેતાની પસંદગી કેવી રીતે થશે?

જો સોમવારે પણ વરસાદ પડે તો?

વાસ્તવમાં જો વરસાદના કારણે રિઝર્વ ડે એટલે કે સોમવારે પણ મેચ યોજાઇ નહી શકે તો લીગ સ્ટેજ પછી જે ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર હશે તેને વિજેતા માનવામાં આવશે. આ રીતે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળની ગુજરાત ટાઇટન્સને ફાયદો થશે અને તે IPL 2023ની ચેમ્પિયન બનશે. ચેન્નઈ સુપર કિંગ્સે નુકસાન સહન કરવું પડશે કારણ કે લીગ તબક્કા પછી ગુજરાત ટાઇટન્સ ટીમ પોઈન્ટ ટેબલમાં ચેન્નઈ સુપર કિંગ્સથી ઉપર હતી.

લીગ સ્ટેજ બાદ ગુજરાત ટાઇટન્સ ટોચ પર હતી

ગુજરાત ટાઇટન્સ લીગ તબક્કામાં ટોચ પર હતી. ગુજરાત ટાઇટન્સના 14 મેચમાં 20 પોઈન્ટ હતા. ચેન્નઈ સુપર કિંગ્સના 14 મેચમાં 17 પોઈન્ટ હતા. ચેન્નઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે હતી. ગુજરાત ટાઇટન્સે 10 લીગ મેચ જીતી છે, જ્યારે 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સે 8 મેચ જીતી હતી, જ્યારે 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી. આ રીતે ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સને 1-1 પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો હતો.

IPL Final 2023: 'રિઝર્વ ડે' પર જૂની ટિકિટથી મેચ જોઈ શકાશે, ફેન્સ માટે ફાઈનલને લઈ મોટુ અપડેટ

CSK vs GT, IPL Final 2023: IPLની 16મી સિઝનની ફાઇનલ મેચ વરસાદના વિક્ષેપને કારણે હવે રિઝર્વ-ડે એટલે કે 29મી મે (સોમવાર)ના રોજ રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની હતી. અમદાવાદ શહેરમાં સાંજથી જ જોરદાર વરસાદ વરસી રહ્યો હતો. આ કારણે  જ્યારે કટ ઓફ સમય સુધી વરસાદ બંધ ન થયો   ત્યારે મેચ અધિકારીઓએ હવે મેચ 29 મેના રોજ રમાડવાનું નક્કી કર્યું છે. આવ સ્થિતિમાં સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા દર્શકોને પણ મહત્વની નોટિસ આપવામાં આવી છે.

દર્શકોને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટી સ્ક્રીન પર તેમની ફિઝિકલ ટિકિટ સુરક્ષિત રાખવા માટે કહેવામાં આવ્યું છે. જેથી જ્યારે તે આવતીકાલે એટલે કે 29 મેના રોજ મેચ જોવા સ્ટેડિયમ પહોંચે ત્યારે તે આ ટિકિટ દ્વારા પ્રવેશ કરી શકે. ચાહકો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર પણ ગણી શકાય કારણ કે રવિવાર હોવાના કારણે પણ ઘણા ચાહકો મેચ જોવા માટે આવ્યા હતા. આ  સ્થિતિમાં હવે તેમણે બીજા દિવસે ફરીથી સ્ટેડિયમ આવવા માટે તે જ ટિકિટ સુરક્ષિત રાખવી પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Embed widget