શોધખોળ કરો

મુંબઈ ઈન્ડિયન્સ માટે મોટો ઝટકો: હાર્દિક અને સૂર્યા વિનાની ટીમ કેવી હશે? જુઓ પ્લેઈંગ ઈલેવન

MI vs RCB 2026: હાલમાં મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફના ઉંબરે ઊભી છે, જ્યાં એક પણ હાર તેમને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકી શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • MI માટે પ્લેઓફમાં પહોંચવા હાર્દિક અને સૂર્યાની ગેરહાજરી ચિંતાનો વિષય.
  • ઈજા અને અંગત કારણોસર હાર્દિક અને સૂર્યા મેચ રમી શકશે નહીં.
  • રોહિત શર્મા અને રાયન રિકેલ્ટનની ભાગીદારી મુંબઈ માટે આશાસ્પદ.
  • ડી કોક, મિન્ઝ અથવા ઠાકુર જેવા ખેલાડીઓને તક મળી શકે છે.

MI vs RCB 2026: IPL 2026 ના પ્લેઓફમાં પહોંચવા માટે મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે હવે પછીની મેચો જીતવી અત્યંત જરૂરી છે. પરંતુ 10 મેના રોજ રાયપુરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે રમાનારી કરો યા મરો મેચ પહેલા ટીમને મોટો ઝટકો લાગી શકે છે. ઈજાના કારણે કેપ્ટન હાર્દિક પંડ્યા અને અંગત કારણોસર સૂર્યકુમાર યાદવ આ મહત્ત્વની મેચ ચૂકી શકે છે. જો આ બંને સિનિયર અને મેચ-વિનર ખેલાડીઓ નહીં રમે, તો ટીમ મેનેજમેન્ટ માટે નવી પ્લેઈંગ ઈલેવન તૈયાર કરવી એક મોટો પડકાર બની જશે.

હાલમાં મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફના ઉંબરે ઊભી છે, જ્યાં એક પણ હાર તેમને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાર્દિક પંડ્યા ઈજાના કારણે ટીમ સાથે રાયપુર પહોંચ્યો નથી. આ ઉપરાંત, એવા પણ અહેવાલો છે કે સૂર્યકુમાર યાદવ ટૂંક સમયમાં પિતા બનવાનો હોવાથી તે આ આગામી મેચમાંથી બ્રેક લઈ રહ્યો છે. આ બંને ખેલાડીઓની ગેરહાજરીમાં મુંબઈનું મિડલ ઓર્ડર થોડું નબળું પડી શકે છે.

જોકે, મુંબઈ માટે સારા સમાચાર એ છે કે રોહિત શર્મા ફોર્મમાં પાછો ફર્યો છે. ગત મેચમાં રોહિત શર્મા અને રાયન રિકેલ્ટને લખનૌ (LSG) સામે 143 રનની શાનદાર ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી. 3 નંબર પર તિલક વર્મા બેટિંગ કરવા આવશે. પણ મોટો પ્રશ્ન એ છે કે હાર્દિક અને સૂર્યાની જગ્યા કોણ લેશે? આ સિઝનની શરૂઆતમાં પંજાબ સામે 112 રનની સદી ફટકારનાર ક્વિન્ટન ડી કોકને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી શકે છે. જો ડી કોક ઓપનિંગ કરે તો બેટિંગ ઓર્ડરમાં થોડા ફેરફાર જોવા મળી શકે છે.

શું IPL 2026 માં MS ધોની લેશે નિવૃત્તિ? અશ્વિને ફેરવેલ મેચને લઈને કર્યો મોટો ધડાકો!

IPL ના નિયમ મુજબ મેદાન પર માત્ર 4 જ વિદેશી ખેલાડીઓ રમી શકે છે. આ સંજોગોમાં યુવા વિકેટકીપર-બેટ્સમેન રોબિન મિન્ઝ અથવા ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને મુખ્ય ટીમમાં સ્થાન મળી શકે છે. નોંધનીય છે કે શાર્દુલ અત્યાર સુધી મોટાભાગની મેચોમાં માત્ર 'ઈમ્પેક્ટ પ્લેયર' તરીકે જ રમ્યો છે.

જો હાર્દિક અને સૂર્યા નહીં રમે, તો આ હોઈ શકે છે મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા, રાયન રિકેલ્ટન, ક્વિન્ટન ડી કોક, તિલક વર્મા, નમન ધીર, વિલ જેક્સ, શાર્દુલ ઠાકુર, એ. એમ. ગઝનફર, જસપ્રીત બુમરાહ, રઘુ શર્મા અને દીપક ચહર.

IPL 2026: ચેન્નઈની દિલ્હી સામે 8 વિકેટે શાનદાર જીત, સંજુ સેમસન ઐતિહાસિક સદી ચૂક્યો

Frequently Asked Questions

MI vs RCB મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ માટે શું ચિંતાનો વિષય છે?

કેપ્ટન હાર્દિક પંડ્યા ઈજાના કારણે અને સૂર્યકુમાર યાદવ અંગત કારણોસર આ મહત્વપૂર્ણ મેચ ચૂકી શકે છે. આ બંને ખેલાડીઓની ગેરહાજરી ટીમ માટે મોટો પડકાર બની શકે છે.

હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ શા માટે મેચ રમી શકતા નથી?

હાર્દિક પંડ્યા ઈજાના કારણે ટીમ સાથે રાયપુર પહોંચ્યો નથી. સૂર્યકુમાર યાદવ ટૂંક સમયમાં પિતા બનવાના હોવાથી આગામી મેચમાંથી બ્રેક લઈ રહ્યો છે.

MI માટે રોહિત શર્માના ફોર્મ વિશે શું સારા સમાચાર છે?

રોહિત શર્મા ફોર્મમાં પાછો ફર્યો છે. ગત મેચમાં તેણે રાયન રિકેલ્ટ સાથે 143 રનની શાનદાર ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી.

હાર્દિક અને સૂર્યાની ગેરહાજરીમાં મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન શું હોઈ શકે છે?

રોહિત શર્મા, રાયન રિકેલ્ટન, ક્વિન્ટન ડી કોક, તિલક વર્મા, નમન ધીર, વિલ જેક્સ, શાર્દુલ ઠાકુર, એ. એમ. ગઝનફર, જસપ્રીત બુમરાહ, રઘુ શર્મા અને દીપક ચહર.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

CSK માં મોટા ફેરફારના એંધાણ: કોચ ફ્લેમિંગના ગયા પછી આ 5 સ્ટાર ખેલાડીઓ થશે બહાર! જુઓ યાદી
CSK માં મોટા ફેરફારના એંધાણ: કોચ ફ્લેમિંગના ગયા પછી આ 5 સ્ટાર ખેલાડીઓ થશે બહાર! જુઓ યાદી
18 વર્ષ પછી આ ખેલાડીએ છોડ્યો CSK નો સાથ, પરસ્પર સંમતિથી ટીમથી અલગ થયો
18 વર્ષ પછી આ ખેલાડીએ છોડ્યો CSK નો સાથ, પરસ્પર સંમતિથી ટીમથી અલગ થયો
‘જો કેપ્ટન ન બનાવવો હોય તો મને છોડી દો...’ આ ખેલાડીએ મુંબઈ ઈન્ડિયન્સને આપ્યું અલ્ટીમેટમ?
‘જો કેપ્ટન ન બનાવવો હોય તો મને છોડી દો...’ આ ખેલાડીએ મુંબઈ ઈન્ડિયન્સને આપ્યું અલ્ટીમેટમ?
MI મોટો ધડાકો કરશે! હાર્દિક પંડ્યા સહિત આ ૫ સ્ટાર ખેલાડીઓ થશે ટીમમાંથી બહાર?
MI મોટો ધડાકો કરશે! હાર્દિક પંડ્યા સહિત આ ૫ સ્ટાર ખેલાડીઓ થશે ટીમમાંથી બહાર?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
Embed widget