શોધખોળ કરો

આ ખેલાડીએ એક ઝાટકે તોડ્યો અશ્વિનનો રેકોર્ડ, નંબર વનનો તાજ હાસિંલ કર્યો 

કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે આઈપીએલ 2025માં શાનદાર પ્રદર્શન કર્યું અને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને 8 વિકેટથી હરાવી દિધી હતી.

Sunil narine : કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે આઈપીએલ 2025માં શાનદાર પ્રદર્શન કર્યું અને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને 8 વિકેટથી હરાવી દિધી હતી.  આ મેચમાં KKR માટે સુનીલ નારાયણ સૌથી મોટો હીરો સાબિત થયો હતો. તેણે પોતાની બોલિંગ અને બેટિંગથી KKRની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રથમ બેટિંગ કરતા, CSKએ માત્ર 103 રન બનાવ્યા, જે KKRએ સુનીલ નારાયણની ઇનિંગને કારણે જીત હાસિંલ કરી હતી.     

સુનીલ નારાયણે ચાર ઓવરમાં એકપણ બાઉન્ડ્રી ન લગાવવા દીધી 

પ્રથમ બોલિંગ કરતા સુનીલ નારાયણે તેની ચાર ઓવરમાં માત્ર 13 રન આપીને ત્રણ મહત્વની વિકેટ લીધી અને ચેન્નાઈ સુપર કિંગ્સના બેટિંગ ઓર્ડરની કમર તોડી નાખી હતી. તેણે રાહુલ ત્રિપાઠી, રવીન્દ્ર જાડેજા અને મહેન્દ્ર સિંહ ધોનીની વિકેટ લીધી હતી. તેના કારણે CSKની ટીમ માત્ર 103 રન જ બનાવી શકી હતી. ખાસ વાત એ હતી કે સુનીલ નારાયણે પોતાની ચાર ઓવરના ક્વોટા દરમિયાન કોઈ બાઉન્ડ્રી નહોતી આપી. આ મેચમાં સુનીલ નારાયણે બેટિંગ અને બોલિંગ બંનેમાં ખૂબ  જ શાનદાર પ્રદર્શન કર્યું છે.      

સુનીલ નારાયણે આર અશ્વિનને પાછળ છોડી દીધો 

સુનીલ નારાયણે આવું 16 વખત કર્યું છે, જ્યારે તેણે આઈપીએલ મેચમાં તેની આખી ચાર ઓવર ફેંકી છે અને એક પણ બાઉન્ડ્રી આપી નથી. આઈપીએલમાં કોઈપણ બોલર દ્વારા આ સૌથી વધુ છે. સુનીલ નારાયણે આ મામલે નંબર-1નો તાજ હાંસલ કર્યો છે અને તેણે રવિચંદ્રન અશ્વિનનો રેકોર્ડ તોડ્યો છે. અશ્વિને આઈપીએલમાં 15 વખત આવું કર્યું છે, જ્યારે તેણે મેચમાં તેની સંપૂર્ણ ચાર ઓવર ફેંકી હતી અને કોઈ બાઉન્ડ્રી  આપી ન હતી.

સુનીલ નારાયણે 44 રન બનાવ્યા હતા

બોલિંગ પછી, સુનીલ નારાયણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે શાનદાર બેટિંગ કરી અને 18 બોલમાં 44 રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે. તેના સિવાય ક્વિન્ટન ડી કોકે 23 અને અજિંક્ય રહાણેએ 20 રનનું યોગદાન આપ્યું હતું. આ ખેલાડીઓના કારણે જ KKR ટીમ જીતવામાં સફળ રહી હતી.

સુનીલ નારાયણ 2012 થી આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે 182 આઈપીએલ મેચોમાં કુલ 185 વિકેટ લીધી છે. આ સિવાય તેના બેટએ IPLમાં 1659 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને 7 અડધી સદી સામેલ છે.   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
Embed widget