શોધખોળ કરો

IPL 2022: વર્લ્ડ કપ વિજેતા કેપ્ટને પોતાના દેશના ખેલાડીઓને કરી અપીલ, કહ્યું- IPL છોડો અને દેશને બચાવો...

અર્જુન રણતુંગાએ કહ્યું કે, મને આ વિશે ખબર નથી, પરંતુ કેટલાક એવા ખેલાડીઓ છે જે IPLમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ પોતાના દેશ વિશે વાત નથી કરી રહ્યા.

શ્રીલંકા હાલમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. જેના કારણે દેશમાં દરેક જગ્યાએ સરકાર વિરોધી દેખાવો થઈ રહ્યા છે. શ્રીલંકાના ભૂતપુર્વ ક્રિકેટર કુમાર સંગાકારા, મહેલા જયવર્દને અને ભાનુકા રાજપક્ષે પણ આ અંગે શ્રીલંકાના સમર્થનમાં આવ્યા છે. આ દરમિયાન શ્રીલંકાના મહાન ખેલાડી અર્જુન રણતુંગાએ કહ્યું છે કે, આઈપીએલ રમી રહેલા તમામ ખેલાડીઓએ દેશની મદદ માટે આવવું જોઈએ. તેઓએ આ મુશ્કેલ સમયમાં દેશની સાથે ઉભા રહેવું જોઈએ.

ANI સાથે વાત કરતાં અર્જુન રણતુંગાએ કહ્યું કે, મને આ વિશે ખબર નથી, પરંતુ કેટલાક એવા ખેલાડીઓ છે જે IPLમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ પોતાના દેશ વિશે વાત નથી કરી રહ્યા. તેમણે વધુમાં કહ્યું કે, આ ખેલાડીઓ સરકાર વિરુદ્ધ બોલતા ડરે છે. આ ક્રિકેટરો મંત્રાલય હેઠળ આવતા ક્રિકેટ બોર્ડ માટે કામ કરે છે. ક્રિકેટરો પોતાની નોકરી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ હવે આપણે આગળ આવવું પડશે. જો કે, કેટલાક યુવા ખેલાડીઓ આગળ પણ આવ્યા છે.

આપણે આગળ આવવું પડશેઃ
અર્જુન રણતુંગાએ વધુમાં કહ્યું કે, જ્યારે કંઈક ખોટું થઈ રહ્યું હોય ત્યારે તમારે તમારા બિઝનેસ વિશે વિચાર્યા વિના આગળ આવવાની જરૂર બને છે અને તેના માટે આગળ આવવાની હિંમત હોવી જોઈએ. રણતુંગાએ વધુમાં કહ્યું કે, લોકો તેમને પૂછે છે કે, તેઓ આ વિરોધનો ભાગ કેમ નથી, ત્યારે હું કહું છું કે, હું છેલ્લા 19 વર્ષથી રાજકારણમાં છું. આ કોઈ રાજકીય મુદ્દો નથી. અત્યાર સુધી દેશના કોઈપણ રાજકીય પક્ષે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો નથી અને તે દેશની સૌથી મોટી તાકાત છે.

ઉલ્લેખનીય છે કે, શ્રીલંકાએ વર્ષ 1996માં પ્રથમ ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો હતો. અર્જુન રણતુંગાની કેપ્ટશીપ હેઠળ શ્રીલંકાની ટીમે ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
IPL 2024: આઈપીએલ પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
IPL પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
શું તમે આધાર કાર્ડ સંબંધિત ગુનાઓની સજા જાણો છો? ₹1 લાખ સુધીનો દંડ અથવા જેલ પણ થઈ શકે છે
શું તમે આધાર કાર્ડ સંબંધિત ગુનાઓની સજા જાણો છો? ₹1 લાખ સુધીનો દંડ અથવા જેલ પણ થઈ શકે છે
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat Heat Wave | આગામી પાંચ દિવસ ગરમીને લઈને સૌથી મોટી આગાહી, આ શહેરોમાં અપાયું ઓરેન્જ એલર્ટAhmedabad Heat Wave | કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો કરી રહ્યા છે આવા પ્રયોગ, જુઓ વીડિયોMansukh Vasava | ચૈતર વસાવાને જ્યારે મન ફાવે ત્યારે ગમે તેને મારી દેવાનું ...દાદાગીરી તો એ કરે છે..Weather Updates | અમદાવાદીઓ આજે ઘરની બહાર નીકળતા પહેલા ચેતજો.. હીટવેવની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
IPL 2024: આઈપીએલ પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
IPL પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
શું તમે આધાર કાર્ડ સંબંધિત ગુનાઓની સજા જાણો છો? ₹1 લાખ સુધીનો દંડ અથવા જેલ પણ થઈ શકે છે
શું તમે આધાર કાર્ડ સંબંધિત ગુનાઓની સજા જાણો છો? ₹1 લાખ સુધીનો દંડ અથવા જેલ પણ થઈ શકે છે
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Ravivar Upay: રવિવારે કરો આ 6 અચૂક ઉપાય, અપનાવી લેશો તો ખુશીથી ભરાઈ જશે જીવન
Ravivar Upay: રવિવારે કરો આ 6 અચૂક ઉપાય, અપનાવી લેશો તો ખુશીથી ભરાઈ જશે જીવન
નખ પર આવા નિશાન હોવા ખતરનાક છે, ડોક્ટરોએ કહ્યું કે તે કેન્સરની નિશાની છે
નખ પર આવા નિશાન હોવા ખતરનાક છે, ડોક્ટરોએ કહ્યું કે તે કેન્સરની નિશાની છે
Mohini Ekadashi 2024: આજે છે મોહિની એકાદશી, જાણો જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિએ શું છે ખાસ મહત્વ
Mohini Ekadashi 2024: આજે છે મોહિની એકાદશી, જાણો જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિએ શું છે ખાસ મહત્વ
ફરી ડરાવવા લાગ્યો કોરોના! સિંગાપોરમાં નવી લહેરને કારણે હાહાકાર, 7 દિવસમાં 25900 કેસ નોંધાયા
ફરી ડરાવવા લાગ્યો કોરોના! સિંગાપોરમાં નવી લહેરને કારણે હાહાકાર, 7 દિવસમાં 25900 કેસ નોંધાયા
Embed widget