Rajkot News: ભાજપ નેતા પર હુમલાના કેસમાં રાજનીતિ જોરમાં, મનહર પટેલના સનસનીખેજ આરોપ
રાજકોટમાં ભાજપ નેતા પર હુમલાના કેસમાં રાજનીતિ જોરમાં, કોંગ્રેસ નેતા મનહર પટેલના સનસનીખેજ આરોપ
જયંતિ સરધારા ઉપર થયેલા હુમલાએ રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. કોંગ્રેસ નેતા મનહર પટેલએ હુમલા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ''ખોડલધામની સ્થાપના નરેશ પટેલ દ્વારા કરવામાં આવી છે પરંતુ વર્તમાનમાં આ સંસ્થા અને નરેશ પટેલ ભાજપ અને ભાજપના આકાઓને કટકે છે. આ સંસ્થાએ પાટીદાર સમાજના બાલ બચ્ચાઓના ઉત્થાન માટે અને સંગઠન માટે છે, ભાજપની સરકારને ઉથલાવવા માટે નથી. તેમ છતા ભારતીય જનતા પાર્ટીમાં રહેલા લેઉઓ પાટીદારના નેતાઓને ગર્ભીત ઈશારો કરવા માંગુ છું કે, તમે એક એવી રાજકીય પાર્ટીમાં છો કે, તમારે કઈ સમાજ માટે દાન આપવું હોય તો પણ રાજકીય આકાઓની પરમીશન લેવી પડે છે''.





















