શોધખોળ કરો
Advertisement
આ 4 ભારતીય ખેલાડીઓ માટે હશે અંતિમ વર્લ્ડ કપ, પછી ક્રિકેટ કહેશે ‘બાય-બાય’
વર્લ્ડ કપને આડે હવો થોડો જ સમય બાકી છે. ભારતે વર્લ્ડ કપા માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમ જાહેર થતા જ કેટલાક ખેલાડીઓનું સપનું પૂરું થયું છે તો કેટલાક ખેલાડીઓને નિરાશા સાંપડી છે.
નવી દિલ્હીઃ વર્લ્ડ કપને આડે હવો થોડો જ સમય બાકી છે. ભારતે વર્લ્ડ કપા માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમ જાહેર થતા જ કેટલાક ખેલાડીઓનું સપનું પૂરું થયું છે તો કેટલાક ખેલાડીઓને નિરાશા સાંપડી છે. જોકે આ વર્લ્ડ કપ માટેની ટીમ ઇન્ડિયામાં સામે કેટલા ખેલાડીઓ માટે આ અંતિમ વર્લ્ડ કપ હોઈ શકે છે. જેમાં 4 નામ એવા છે હવે પછી આગામી વર્લ્ડ કપમાં જોવા નહીં મળે.
મહેન્દ્રસિંહ ધોની
ભારતીય ટીમનાં પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોની માટે આ અંતિમ વિશ્વ કપ હશે. ધોનીની ઉંમર 38 આસપાસ છે અને આગામી વર્લ્ડ કપ સુધીમાં તે 42 વર્ષના થઈ જશે. આ માટે આ વર્લ્ડ કપ ધોનીનો અંતિમ વર્લ્ડ કપ હશે.
શિખર ધવન
ભારતીય ટીમનાં ઑપનર બેટ્સમેન શિખર ધવન આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનાં મુખ્ય ખેલાડીઓમાં સામેલ છે. શિખર ધવનની ઉંમર પણ હાલમાં 34 આસપાસ છે અને આગામી વર્લ્ડ કપમાં તેની ઉંમર 38 વર્ષની હશે. આ માટે આ વર્લ્ડ કપ તેનો અંતિમ વિશ્વ કપ હોઇ શકે છે.
કેદાર જાધવ
કેદાર જાધવ માટે પણ આ અંતિમ વર્લ્ડ કપ હશે. જાધવની ઉંરમ વર્લ્ડ કપ શરૂ થાય ત્યાં સુધીમાં 34 આસપાસની હશે અને આવતા વર્લ્ડ કપ સુધી તેની ઉંમર 38ની થઇ જશે. ફિટનેસનાં મામલે જાધવ પણ ધવનની માફક ખરાબ રેકૉર્ડ ધરાવે છે.
દિનેશ કાર્તિક
મહેન્દ્રસિંહ ધોનીનાં બીજા વિકલ્પ તરીકે વિશ્વ કપ માટેની ભારતીય ટીમમાં દિનેશ કાર્તિકને પસંદ કરવામાં આવ્યો છે. દિનેશ કાર્તિકની ઉંમર વિશ્વ કપ શરૂ થાય ત્યારે 34ની આસપાસ હશે અને આવતા વિશ્વ કપ સુધી તે 38 વર્ષનો થઇ જશે. આવામાં આ તેનો અંતિમ વર્લ્ડ કપ હશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મહેસાણા
દુનિયા
દુનિયા
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion