શોધખોળ કરો
ધોની હાલમાં નહી લે નિવૃતિ, મેનેજરે કહ્યુ- ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો કોઇ ઇરાદો નથી
નોંધનીય છે કે વર્લ્ડકપમાં ભારત સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારતા ધોનીની નિવૃતિની અટકળો શરૂ થઇ ગઇ હતી.

નવી દિલ્હીઃટીમ ઇન્ડિયાના ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની નિવૃતિની અટકળો વચ્ચે તેના મેનેજર અને મિત્ર અરુણ પાંડેએ નિવેદન આપ્યું છે. અરુણ પાંડેએ કહ્યું કે, ધોનીની હાલમાં નિવૃતિ લેવાની કોઇ ઇરાદો નથી. તેણે કહ્યું કે,હાલમાં માહીનો ક્રિકેટ છોડવાનો કોઇ ઇરાદો નથી. નોંધનીય છે કે વર્લ્ડકપમાં ભારત સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારતા ધોનીની નિવૃતિની અટકળો શરૂ થઇ ગઇ હતી. અરુણ પાંડેએ પીટીઆઇ સાથેની વાતચીતમાં કહ્યું કે, તેની હાલમાં તરત સંન્યાય લેવાની કોઇ યોજના નથી. તેના જેવા મહાન ખેલાડીના ભવિષ્યને લઇને સતત અટકળો ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. પાંડેની આ પ્રતિક્રિયા રવિવારે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટેની ટીમની પસંદગી અગાઉ આવી છે. ધોનીની યોજનાને લઇને સ્થિતિ ત્યારે સ્પષ્ટ થઇ જશે જ્યારે ત્રણ ઓગસ્ટના રોજ શરૂ થઇ રહેલા વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ માટેની ટીમની જાહેરાત કરવામાં આવશે. નોંધનીય છે કે ધોનીની કેપ્ટનશીપમાં ભારતે વર્લ્ડકપ, ટી-20 વર્લ્ડકપ અને ચેમ્પિયન ટ્રોફી જીતી છે.
વધુ વાંચો






















