કેપ્ટન વિરાટ કોહલી, ધોની, ભૂવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાને આ સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છે. વિરાટની ગેરહાજકીમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ રોહિત શર્માને સોંપવામાં આવી છે. ભારતને આગામી સિઝનમાં 30 વન-ડે સહિત 63 ઇન્ટરનેશનલ મેચ રમવાની છે.
નવી દિલ્હીઃ શ્રીલંકામાં યોજાનારી ટી-20 ટ્રાઇ સીરિઝ માટેની ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રાઇ સીરિઝ 6 થી 18 માર્ચ સુધી રમાશે. આ પ્રવાસમાં ટીમના પાંચ ટોચના ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. આ ટ્રાઇ સીરિઝમાં ભારત સિવાય શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમ ભાગ લઇ રહી છે.
4/4
ટીમમાં નિયમિત વિકેટકિપર તરીકે દિનેશ કાર્તિકની પસંદગી કરવામાં આવી છે. જ્યારે બીજા વિકેટકિપર તરીકે ઋષભ પંતને સામેલ કરાયો છે. તે સિવાય ઓલરાઉન્ડર દીપક હુડ્ડા અને વિજય શંકરની પસંદગી કરાઇ છે.