શોધખોળ કરો
સુપ્રીમ કોર્ટનો સપાટો, BCCIના પ્રમુખપદેથી અનુરાગ ઠાકુરની હકાલપટ્ટી
1/5

છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે અનુરાગ ઠાકુરને ચેતવણી આપી કહ્યુ હતું કે, ખોટી ગવાહી માટે બોર્ડના અધ્યક્ષને સજા કેમ ના કરવામાં આવે? તેમના પર કોર્ટની અવમાનનાનો કેસ ચલાવવામાં આવી શકે છે. જો વિના શરત માફી ના માંગી તો તેમને જેલ જવું પડી શકે છે. અનુરાગ પર આરોપ છે કે તેમણે કોર્ટમાં ખોટું બોલ્યા હતા અને સુધાર પ્રક્રિયામાં અવરોધ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો.
2/5

સુપ્રીમ કોર્ટે છેલ્લી સુનાવણી વખતે આ મામલે ભારે નારાજગી દર્શાવી હતી અને એવી ટિપ્પણી કરી હતી કે બોર્ડના હોદ્દેદારોને ક્રિકેટ કરતા વધારે પોતાના સ્વાર્થની ચિંતા છે. સુપ્રીમ કોર્ટ અન્ય રાજકારણીઓને પણ બોર્ડમાંથી હટાવી શકે છે.
Published at : 02 Jan 2017 11:42 AM (IST)
View More























