શોધખોળ કરો
મોતની અફવાથી પરેશાન થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ક્રિકેટર, ધોનીનો છે ખાસ, જાણો વિગત
1/5

રૈના ભારત માટે 226 વન ડે રમી ચુક્યો છે. જેમાં 5 સદી અને 35 અડધી સદી વડે 5616 રન બનાવ્યા છે. રૈનાને T20 સ્પેશિયાલિસ્ટ માનવામાં આવે છે. 78 મેચમાં તેણે 1605 રન બનાવ્યા છે. જેમાં એક સદી પણ સામેલ છે. 18 ટેસ્ટમાં રૈનાએ એક સદી અને 7 અડધી સદી વડે 768 રન બનાવ્યા છે. રૈના તેની બેટિંગ ઉપરાંત ઉતકૃષ્ટ ફિલ્ડિંગના કારણે પણ ક્રિકેટ જગતમાં જાણીતો છે. આ ઉપરાંત પાર્ટ ટાઇમ બોલિંગ પણ કરી શકે છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનારો ખેલાડીઓ પૈકીનો એક છે.
2/5

રૈનાએ ટ્વિટ કરીને લખ્યું કે, છેલ્લા થોડા દિવસોથી યૂટ્યુબ પર મારું કાર એક્સિડેન્ટમાં મોત થયું હોવાના સમાચાર વહેતા થયા છે. આ ફેક ન્યૂઝની મારો પરિવાર અને મિત્રો ખૂબ પરેશાન છે. આ પ્રકારના અહેવાલને નજરઅંદાજ કરવાની મારી તમામને અપીલ છે. ભગવાનની કૃપાથી હું બિલકુલ ઠીક છું. જે ચેનલોએ આ પ્રકારની અફવા ઉડાવી છે તેમની સામે ફરિયાદ નોંધાવામાં આવી છે. આશા છે કે ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે.
Published at : 12 Feb 2019 02:56 PM (IST)
View More




















