શોધખોળ કરો
ચોથી મોહાલી વનડેમાં વિરાટ સેનામાંથી આ 3 ખેલાડીઓ થઇ શકે છે બહાર, જાણો વિગતે

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે મોહાલીના મેદાનમાં સીરીઝની ચોથી વનડે રમાશે. વિરાટ સેના સીરીઝ 2-1થી આગળ છે, જેથી આજની મેચ જીતીને સીરીઝ કબ્જે કરવા પ્રયાસ કરશે, તો સામે ફિન્ચની ટીમ આજની મેચ જીતીને સીરીઝમાં 2-2ની બરાબરી કરવા મથશે.
મનાઇ રહ્યું છે કે, ત્રીજી વનડેમાં પછડાટ ખાદ્યા પછી વિરાટ સેનામાં આજની મેચ માટે બાદબાકી થઇ શકે છે. જેમાં અંબાતી રાયડુને બહાર થવુ પડી શકે છે અને યુવા ખેલાડી રિષભ પંતને સ્થાન મળી શકે છે. જ્યારે બીજી જગ્યાએ ધવનની જગ્યાએ કેએલ રાહુલ ટીમમાં સામેલ થવાની સંભાવના દેખાઇ રહી છે. 
મનાઇ રહ્યું છે કે, ત્રીજી વનડેમાં પછડાટ ખાદ્યા પછી વિરાટ સેનામાં આજની મેચ માટે બાદબાકી થઇ શકે છે. જેમાં અંબાતી રાયડુને બહાર થવુ પડી શકે છે અને યુવા ખેલાડી રિષભ પંતને સ્થાન મળી શકે છે. જ્યારે બીજી જગ્યાએ ધવનની જગ્યાએ કેએલ રાહુલ ટીમમાં સામેલ થવાની સંભાવના દેખાઇ રહી છે. 
બૉલિંગ સાઇડને મજબૂત બનાવવા વિરાટ કોહલી ટીમમાં ભુવનેશ્વર કુમારને ટીમમાં સામેલ કરી શકે છે, વળી તેની જગ્યાએ શમીને બહાર થવુ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, વનડે સીરીઝમાં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે, તેના સિવાય ધોની, જાધવ અને વિજય શંકર પણ સારુ પરફોર્મ કરી રહ્યાં છે.
વધુ વાંચો





















