શોધખોળ કરો

Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું

Tim Southee: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 16 ઓક્ટોબરથી 3 મેચની ટેસ્ટ સીરિઝ રમવાની છે

Tim Southee: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 16 ઓક્ટોબરથી 3 મેચની ટેસ્ટ સીરિઝ રમવાની છે. આ પહેલા ન્યૂઝીલેન્ડની ટીમે પોતાનો કેપ્ટન બદલ્યો છે. હવે ટોમ લાથમ ન્યૂઝીલેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન હશે. અગાઉ આ જવાબદારી ટિમ સાઉથી પાસે હતી. શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી 2-0થી જીત્યા બાદ તેણે રાજીનામું આપી દીધું હતું. કેપ્ટન પદ છોડ્યા બાદ સાઉથીએ કહ્યું કે તેણે આ નિર્ણય ટીમના હિતમાં લીધો છે. કેન વિલિયમ્સને 2022માં કેપ્ટનશીપ છોડી દીધી હતી, ત્યારબાદ સાઉથીને આ જવાબદારી સોંપવામાં આવી હતી અને હવે નવા કેપ્ટન તરીકે ટોમ લાથમની પસંદગી કરવામાં આવી છે. લાથમે આ પહેલા 9 મેચમાં ન્યૂઝીલેન્ડ ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ કરી છે.

સતત 4 હાર બાદ લેવાયો નિર્ણય

ટિમ સાઉથીની કેપ્ટનશીપમાં ન્યૂઝીલેન્ડની ટીમ સતત 2 શ્રેણી હારી છે. તેને ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે 2-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચ વરસાદને કારણે રમાઈ શકી ન હતી અને હવે તેને શ્રીલંકા સામે 2-0થી હારનો સામનો કરવો પડ્યો છે. ગાલેમાં ન્યૂઝીલેન્ડનો ખૂબ જ શરમજનક પરાજય થયો હતો. શ્રીલંકાને એક ઇનિંગ્સ અને 154 રને હાર આપી હતી.

ન્યૂઝીલેન્ડની ટીમ આ મહિને ભારત સામે 3 મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. અગાઉ સાઉથીએ કહ્યું હતું કે તેના માટે ટીમ પ્રથમ આવે છે અને તેનો નિર્ણય ન્યૂઝીલેન્ડના હિતમાં હશે. કેપ્ટન પદ છોડ્યા બાદ તે વધુ સારું પ્રદર્શન કરી શકશે અને જીતમાં મદદ કરશે.

જ્યારથી ટિમ સાઉથીએ કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી ત્યારથી તેનું પોતાનું પ્રદર્શન ઘણું ખરાબ થઈ ગયું છે. તે પોતાની ક્ષમતા મુજબ પ્રદર્શન કરી શક્યો નથી. સાઉથીએ 2 વર્ષ સુધી ન્યૂઝીલેન્ડની કેપ્ટનશીપ કરી હતી. દરમિયાન તેણે 14 મેચ રમી જેમાં તેણે 38.60ની એવરેજથી 35 વિકેટ લીધી જ્યારે તેની કારકિર્દીની સરેરાશ 28.99 છે.

સરેરાશમાં તફાવત જોતા સ્પષ્ટપણે જણાય છે કે કેપ્ટન બન્યા તેનું પ્રદર્શન ખરાબ થયું છે. તે વિકેટ લેવામાં સફળ રહ્યો નથી. શ્રીલંકા પ્રવાસની વાત કરીએ તો આ દરમિયાન તેણે 2 ટેસ્ટ મેચમાં 49 ઓવર ફેંકી હતી પરંતુ તે માત્ર 2 જ વિકેટ લઈ શક્યો હતો. તેની કેપ્ટનશિપમાં ટિમ સાઉથીએ 6 મેચ જીતી, 6માં હાર, જ્યારે 2 મેચ ડ્રો રહી છે.     

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
Ration:  ઘરે બેઠા બની જશે રાશનકાર્ડ અને e-KYC પણ થઈ જશે, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ 
Ration: ઘરે બેઠા બની જશે રાશનકાર્ડ અને e-KYC પણ થઈ જશે, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગયા નગરપાલિકાના રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવ્યું હવામાં ઝેર ?
Rajkot Civil hospital: રાજકોટની સિવિલ હોસ્પિ. ફરી વિવાદમાં, તબીબની બેદરકારીથી બાળકનું મોત થયાનો આરોપ
Himmatnagar Accident News: હિંમતનગર ઓવરબ્રિજ પર  ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત
Geniben Thakor : ગુજરાતમાં ભુવાઓની સંખ્યા વધ્યાનો સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
Ration:  ઘરે બેઠા બની જશે રાશનકાર્ડ અને e-KYC પણ થઈ જશે, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ 
Ration: ઘરે બેઠા બની જશે રાશનકાર્ડ અને e-KYC પણ થઈ જશે, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ 
ટી-સીરીઝની
ટી-સીરીઝની "હનુમાન ચાલીસા" ને યુટ્યુબ પર મળ્યા 5 બિલિયનથી વધુ વ્યૂઝ, બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી,  ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી, ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
પાકિસ્તાનની જેલમાં પૂર્વ PM ઈમરાન ખાનની હત્યા ? બલૂચિસ્તાન વિદેશ મંત્રાલયનો મોટો દાવો 
પાકિસ્તાનની જેલમાં પૂર્વ PM ઈમરાન ખાનની હત્યા ? બલૂચિસ્તાન વિદેશ મંત્રાલયનો મોટો દાવો 
Embed widget