આ અંગેની વિગતો એવી છે કે, જમીન લે-વેચનો વ્યવસાય કરતાં અને ખરવાસા કરાડવા રોડ શ્રદ્ધા સોસાયટીમાં રહેતા રાજેશ ખેરનાર(ઉ.વ.37) અને આ જ વિસ્તારની પરિણીત યુવતી સાથે પ્રેમસંબંધ હતા. હત્યાની આગલી રાતે અશોક પરિણીતાના ઘર પાસે ગરબા રમવા માટે ગયો હતો. અહીં પરિણતાને તેનો પતિ અને પિતા રાજેશ સાથે જોઇ ગયા હતા.
2/4
આ અંગે રાજેશ ખેરનારના ભાઈની ફરિયાદને આધારે પોલીસે તપાસ કરતાં પરિણીતાના પતિ વિકાસ સપકળે અને તેના પિતા અશોક સપકળેની ધરપકડ કરી છે. ડીંડોલી પોલીસે તપાસ કરતાં રાજેશની હત્યા લગ્નેત્તર સંબંધમાં થઈ હોવાનું સામે આવ્યું છે. પરણીત પ્રેમિકાને મળવા જતા પિતા અને તેના પતિ જોઈ જતા ગુસ્સે ભરાયેલા પિતા અને પુત્રે મિત્રો સાથે મળી હત્યા કરી હતી.
3/4
આ પછી ગત 22મી સપ્ટેમ્બરના રોજ રાતે સાડા અગિયાર વાગ્યે પરિણીતાના પતિ વિકાસ સપકળેએ રાજેશને મળવા માટે પેટ્રોલપંપ પર મળવા માટે બોલાવ્યો હતો. અહીં રાજેશ મળવા આવતાં અશોક સપકળે અને વિકાસ સપકળેએ મિત્રો સાથે મળીને રાજેશની હત્યા કરી નાંખી હતી અને પછી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
4/4
સુરતઃ શહેરના ડિંડોલી વિસ્તારમાં રાજેશ ખેરનારની પેટ્રોલપંપ પર થયેલી હત્યા મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાંના એક આરોપીની પત્ની સાથે રાજેશને લગ્નેત્તર સંબંધ હતા. આ સંબંધને કારણે રાજેશની હત્યા કરવામાં આવી હતી.