શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સુરત: અનિલ મોબાઈલમાં અશ્લિલ વીડિયો જોઈ રહ્યો હતો ને સાડા ત્રણ વર્ષની બાળકી રૂમમાં આવી ગઈ પછી શું થયું? જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/23092858/Surat1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![નરાધમ અનિલ યાદવને સોમવારે સાંજે 4 વાગ્યે તેને તબીબી તપાસ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં દોઢ કલાક સુધી જુદા જુદા પરિક્ષણોની સાથે 7 જેટલા સેમ્પલો પણ લેવાયા હતા. ઈમરજન્સી વિભાગમાં જ દોઢ કલાક સુધી તેના પોટેન્સી સહિતના વિવિધ તબીબી પરિક્ષણો કરવામાં આવ્યા હતા. આ સાથે તેના લોહીના નમુના, માથાના તેમજ ગુપ્તાંગના વાળ, લાળ, વીર્ય અને નખના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સેમ્પલ એફએસએલમાં તપાસ માટે મોકલી આપ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/23092917/Surat6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નરાધમ અનિલ યાદવને સોમવારે સાંજે 4 વાગ્યે તેને તબીબી તપાસ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં દોઢ કલાક સુધી જુદા જુદા પરિક્ષણોની સાથે 7 જેટલા સેમ્પલો પણ લેવાયા હતા. ઈમરજન્સી વિભાગમાં જ દોઢ કલાક સુધી તેના પોટેન્સી સહિતના વિવિધ તબીબી પરિક્ષણો કરવામાં આવ્યા હતા. આ સાથે તેના લોહીના નમુના, માથાના તેમજ ગુપ્તાંગના વાળ, લાળ, વીર્ય અને નખના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સેમ્પલ એફએસએલમાં તપાસ માટે મોકલી આપ્યા છે.
2/6
![આ અંગેની માહિતી આપવા માટે પોલીસ કમિશનર સતીશ શર્માએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, અનિલ યાદવે પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી હતી કે તે તેના મોબાઈલમાં અશ્લિલ વીડિયો જોતો હતો તે વખતે જ બાળકી તેના ઘરમાં આવી ને તેણે આ અધમ કૃત્ય કર્યું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/23092912/Surat5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ અંગેની માહિતી આપવા માટે પોલીસ કમિશનર સતીશ શર્માએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, અનિલ યાદવે પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી હતી કે તે તેના મોબાઈલમાં અશ્લિલ વીડિયો જોતો હતો તે વખતે જ બાળકી તેના ઘરમાં આવી ને તેણે આ અધમ કૃત્ય કર્યું હતું.
3/6
![લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારની સાડા ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરવાના ગુનામાં તા. 15 ઓક્ટોબરથી નાસી છૂટેલો અનિલ સુરેન્દ્ર યાદવ સુરતથી મારૂતિવાન મારફતે પાલેજ પહોંચ્યો હતો. ત્યાંથી ટ્રેન મારફતે દિલ્હી થઈ બિહારના બક્સર સુધી પહોંચ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/23092907/Surat4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારની સાડા ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરવાના ગુનામાં તા. 15 ઓક્ટોબરથી નાસી છૂટેલો અનિલ સુરેન્દ્ર યાદવ સુરતથી મારૂતિવાન મારફતે પાલેજ પહોંચ્યો હતો. ત્યાંથી ટ્રેન મારફતે દિલ્હી થઈ બિહારના બક્સર સુધી પહોંચ્યો હતો.
4/6
![અનિલ યાદવને સોમવારના રોજ મોડી સાંજે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના બંગલે રજૂ કરી પોલીસે 30મી ઓક્ટોબર સુધીના આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલ કરી હતી. આરોપી તરફે હાલ કોઈ વકીલ હાજર રહ્યો નહતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/23092902/Surat3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનિલ યાદવને સોમવારના રોજ મોડી સાંજે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના બંગલે રજૂ કરી પોલીસે 30મી ઓક્ટોબર સુધીના આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલ કરી હતી. આરોપી તરફે હાલ કોઈ વકીલ હાજર રહ્યો નહતો.
5/6
![અનિલ યાદવને સ્મીમેર હોસ્પિટલમા લઈ જવામાં આવ્યો હતો. જ્યાં દોઢ કલાક સુધી જુદા-જુદા પરિક્ષણોની સાથે 7 જેટલા સેમ્પલો લેવામાં આવ્યા હતા. તબીબ સમક્ષ નરાધમે નીવેદન આપ્યું હતું કે, પોતે બાળકીની હત્યા કર્યા બાદ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો તેમજ ત્યાર બાદ લાશને કોથળામાં પેક કરી કબાટ પર મૂકીને નાસી છુટ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/23092858/Surat1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનિલ યાદવને સ્મીમેર હોસ્પિટલમા લઈ જવામાં આવ્યો હતો. જ્યાં દોઢ કલાક સુધી જુદા-જુદા પરિક્ષણોની સાથે 7 જેટલા સેમ્પલો લેવામાં આવ્યા હતા. તબીબ સમક્ષ નરાધમે નીવેદન આપ્યું હતું કે, પોતે બાળકીની હત્યા કર્યા બાદ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો તેમજ ત્યાર બાદ લાશને કોથળામાં પેક કરી કબાટ પર મૂકીને નાસી છુટ્યો હતો.
6/6
![સુરત: સાડા ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરનારા અનિલ યાદવે પોલીસ સમક્ષ કરેલી કબૂલાત મુજબ 14મીની રાત્રે પોતાના રૂમમાં મોબાઈલ પર અશ્લિલ વીડિયો જોઈ રહ્યો હતો તે સમયે બાળકી તેના રૂમમાં આવી હતી અને તેની વાસનાનો કીડો સળવળ્યો હતો. પરિણામની કોઈ પણ ચિંતા કર્યા વગર તેણે આ અધમ કૃત્ય કરી નાખ્યું હતું. બાળકી મોટા મોટા અવાજે રડવા લાગી હતી. જેથી તેના અવાજને રુંધવા માટે બાળકીનું મોઢું બંધ કર્યું તો શ્વાસ રુંધાવાના કારણે તેનું મોત નિપજ્યું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/23092854/Surat.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરત: સાડા ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરનારા અનિલ યાદવે પોલીસ સમક્ષ કરેલી કબૂલાત મુજબ 14મીની રાત્રે પોતાના રૂમમાં મોબાઈલ પર અશ્લિલ વીડિયો જોઈ રહ્યો હતો તે સમયે બાળકી તેના રૂમમાં આવી હતી અને તેની વાસનાનો કીડો સળવળ્યો હતો. પરિણામની કોઈ પણ ચિંતા કર્યા વગર તેણે આ અધમ કૃત્ય કરી નાખ્યું હતું. બાળકી મોટા મોટા અવાજે રડવા લાગી હતી. જેથી તેના અવાજને રુંધવા માટે બાળકીનું મોઢું બંધ કર્યું તો શ્વાસ રુંધાવાના કારણે તેનું મોત નિપજ્યું હતું.
Published at : 23 Oct 2018 09:30 AM (IST)
Tags :
Surat Courtવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion