શું હવે માણસોની જરુરિયાત ખતમ થઈ જશે? કર્મચારીઓની જગ્યાએ AI ને વધુ મહત્વ આપી રહી છે કંપનીઓ
AI Impact On Workforce: કંપનીઓ હવે તેમના કર્મચારીઓ કરતાં AI માં વધુ મૂડી રોકાણ કરવા માંગે છે. મોટાભાગની કંપનીઓ જણાવે છે કે તેઓ AI માં રોકાણ કરવા માટે તેમના કાર્યબળને ઘટાડવા માટે તૈયાર છે.

AI Impact On Workforce: ભલે કંપનીઓ ખુલીને આ વાત નથી કહી રહી, પરંતુ તક મળવા પર તેઓ પોતાના કર્મચારીઓને AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) થી રિપ્લેસ કરવા માટે તૈયાર બેઠી છે. એક સ્ટડીમાં 10 માંથી 9 કંપનીઓએ કહ્યું કે પ્રોડક્ટિવિટી વધારવા અને ખર્ચ ઘટાડવા માટે તેઓ કર્મચારીઓની જગ્યાએ AI લાવવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે એમેઝોન સહિત ઘણી કંપનીઓએ આવું કરવાનું શરૂ પણ કરી દીધું છે અને છેલ્લા કેટલાક મહિનામાં મોટી સંખ્યામાં લોકોએ AI ને કારણે પોતાની નોકરીઓ ગુમાવવી પડી છે.
કર્મચારીઓને બદલે AI પર પૈસા લગાવવા માંગે છે કંપનીઓ
અમેરિકામાં થયેલા આ સ્ટડીમાં લગભગ 90 ટકા કંપનીઓએ કહ્યું કે જો કર્મચારીઓના જવાથી તેમને AI પર વધુ પૈસા લગાવવાની તક મળે છે, તો તેઓ તેનાથી ખુશ છે. આટલી જ સંખ્યામાં કંપનીઓનું એવું પણ કહેવું છે કે હવે AI વધુ કામ કરી શકે છે અને તેને જોતા તેઓ પોતાની વર્કફોર્સ (કર્મચારીઓની સંખ્યા) ઘટાડવા તૈયાર છે. કંપનીઓ એ પણ જાણે છે કે હવે હાયરિંગ (નવી ભરતી) નથી થઈ રહી અને આવા નિર્ણયો લેવા પર તેમને વિરોધનો સામનો પણ કરવો નહીં પડે. સ્ટડીમાં ભાગ લેનારા ઘણા સિનિયર બિઝનેસ લીડર્સનું કહેવું છે કે હવે કર્મચારીઓના સંતોષ કરતા AI પર રોકાણ કરવું વધુ મહત્વપૂર્ણ છે.
એમેઝોન છે તેનું એક ઉદાહરણ
સ્ટડીમાં જોવા મળેલા ટ્રેન્ડને એમેઝોનના ઉદાહરણથી સમજી શકાય છે. કંપનીએ રિસ્ટ્રક્ચરિંગ પ્લાન હેઠળ 16,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. કંપનીનું કહેવું છે કે ડિસિઝન-મેકિંગ (નિર્ણય લેવાની પ્રક્રિયા) ને સરળ બનાવવા અને ટીમોને નાની કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે એમેઝોન AI પર ભારે રોકાણ કરી રહી છે અને તેને તેનાથી ભારે નફાનો અંદાજ છે. AI ની મદદથી કંપની પોતાનું વાર્ષિક રેવન્યુ 55 લાખ કરોડ રૂપિયા પર લઈ જવા માંગે છે. નોંધનિય છે કે, જ્યારથી એઆઈનું આગમન થયું છે ત્યારથી જ નિષ્ણાતો કહી રહ્યા છે કે એઆઈથી મોટા ભાગના સેક્ટરમાં નોકરીઓ જશે અને હવે તેની અસર દેખાવા પણ લાગી છે.























