આરોગ્ય ધોરણો મુજબ, પીવાના પાણીમાં TDS નું સ્તર 50 થી 120 mg/L ની વચ્ચે હોવું જોઈએ. આનાથી વધુ TDS સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.
RO Filter Change: RO ના ફિલ્ટરને કેટલા દિવસે બદલવું જોઈએ? મોટાભાગે લોકો કરે છે આ ભૂલ
વોટર પ્યૂરીફાયરનું એકમાત્ર કામ પાણીમાં હાનિકારક TDS ઘટાડવાનું છે. આરોગ્ય ધોરણો સૂચવે છે કે પીવાના પાણીમાં TDS સ્તર 50 થી 120 mg/L ની વચ્ચે હોવું જોઈએ.

- પાણીની ગુણવત્તા સુધારવા વોટર પ્યુરિફાયર આવશ્યક છે.
- પીવાના પાણીમાં TDS નું સ્તર 50-120 mg/L હોવું જોઈએ.
- ખારું પાણી કે ધીમી ગતિ ફિલ્ટર ખરાબી સૂચવે છે.
- ફિલ્ટર દર 6-12 મહિને, RO મેમ્બ્રેન 3 વર્ષે બદલો.
RO Filter: બધા જાણે છે કે પાણી જીવન છે. જોકે આપણા સારા સ્વાસ્થ્ય માટે સ્વચ્છ પાણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. છતાં ભારતના ઘણા વિસ્તારોમાં લાખો લોકો હજુ પણ અશુદ્ધ પાણી પીવાથી મૃત્યુ પામે છે. આ જ કારણ છે કે મોટાભાગના ઘરોમાં લોકો વોટર પ્યૂરીફાયરનો વ્યાપક ઉપયોગ કરે છે. એટલું જ નહી લોકો તેની સર્વિસને લઈ ઘણી વખત નજરઅંદાજ પણ કરે છે. જ્યારે મશીન સંપૂર્ણપણે કામ કરવાનું બંધ કરી દે છે ત્યારે જ ફિલ્ટર બદલતા હોય છે.
પાણીમાં TDS લેવલ ચેક કરો
એ વાત તો બધા જાણે છે કે વોટર પ્યૂરીફાયરનું એકમાત્ર કામ પાણીમાં હાનિકારક TDS ઘટાડવાનું છે. આરોગ્ય ધોરણો સૂચવે છે કે પીવાના પાણીમાં TDS સ્તર 50 થી 120 mg/L ની વચ્ચે હોવું જોઈએ. વધુ હોવા પર તે સ્વાસ્થ્ય માટે જીવલેણ હોઈ શકે છે.
ખરાબ ફિલ્ટરની કેવી રીતે ઓળખ કરવી?
નોંધ કરો કે જો પાણી પીતી વખતે કડવું અથવા ખારું લાગે છે તો એવું માની લેવું સલામત છે કે તમારુ વોટર પ્યૂરીફાયર સંપૂર્ણપણે ખરાબ થઈ ગયું છે. વધુમાં, જો વોટર પ્યૂરીફાયરની ટાંકી ભરવામાં પહેલા કરતાં વધુ સમય લાગતો હોય તો આ પણ ફિલ્ટર ખરાબનો સ્પષ્ટ સંકેત છે.
પ્યુરિફાયર ફિલ્ટર કેવી રીતે બદલવું
હંમેશા યાદ રાખો કે વોટર પ્યુરિફાયરનું ફિલ્ટર છ કે એક વર્ષમાં સંપૂર્ણપણે બદલાઈ જવું જોઈએ. વધુમાં, પ્યુરિફાયરમાં રહેલું RO મેમરન ફક્ત ત્રણ વર્ષ સુધી ચાલે છે. જો કે, પાણીની ગુણવત્તા અને ઉપયોગના આધારે તમે નિયત તારીખ પહેલાં તમારા વોટર પ્યુરિફાયરની સરળતાથી લાયક ટેકનિશિયન દ્વારા તપાસ કરાવી શકો છો.
આ પણ વાંચો- Window AC Vs Desert Air Cooler: કયો વિકલ્પ તમારા માટે શ્રેષ્ઠ? જાણો કિંમત અને ફીચર્સ વચ્ચેનો તફાવત
RO સાથે UV (અલ્ટ્રાવાયોલેટ) અને UF (અલ્ટ્રા ફિલ્ટરેશન) ટેકનોલોજી પાણીના સૂક્ષ્મ જંતુઓનો નાશ કરે છે. પાણીની દુર્ગંધ અને ખરાબ સ્વાદ દૂર કરે છે. RO પાણીમાંથી TDS નું પ્રમાણ ઘટાડીને પાણીને પીવાલાયક બનાવે છે. વોટર પ્યુરીફાયર પાણીમાં રહેલા દ્રાવ્ય ક્ષાર (TDS), બેક્ટેરિયા અને અન્ય અશુદ્ધિઓ દૂર કરે છે. તમારા વિસ્તારના પાણીનો ટીડીએસ (TDS) ઊંચો હોય તો તેને નિયંત્રિત કરીને પાણીને પીવાલાયક બનાવે છે.
Frequently Asked Questions
પાણીના TDS નું યોગ્ય સ્તર કેટલું હોવું જોઈએ?
ખરાબ વોટર પ્યુરિફાયર ફિલ્ટરની કેવી રીતે ઓળખ કરવી?
જો પાણી પીતી વખતે કડવું કે ખારું લાગે, અથવા પ્યુરિફાયરની ટાંકી ભરવામાં પહેલા કરતાં વધુ સમય લાગે, તો તે ફિલ્ટર ખરાબ હોવાનો સંકેત છે.
વોટર પ્યુરિફાયરનું ફિલ્ટર કેટલા સમયે બદલવું જોઈએ?
સામાન્ય રીતે, વોટર પ્યુરિફાયરનું ફિલ્ટર દર છ કે એક વર્ષે બદલવું જોઈએ. RO મેમ્બ્રેન ત્રણ વર્ષ સુધી ચાલે છે.
RO, UV અને UF ટેકનોલોજી શું કાર્ય કરે છે?
RO પાણીમાંથી TDS ઘટાડે છે, જ્યારે UV અને UF ટેકનોલોજી પાણીના સૂક્ષ્મ જંતુઓનો નાશ કરે છે અને પાણીની દુર્ગંધ તથા ખરાબ સ્વાદ દૂર કરે છે.





















