શોધખોળ કરો

કર્ણાટકમાં બોલ્યા PM મોદી-આજે આઠ કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા જમા થયા

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, કોગ્રેસ અને તેમના સાથી પક્ષો દેશની સંસદની વિરુદ્ધ મેદાનમાં ઉતર્યા છે.

બેંગલુરુઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના કર્ણાટક પ્રવાસ પર પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીએ તુમકુરમાં શ્રી સિદ્ધગંગા મઠના દર્શન કર્યા હતા. તેમણે અહી એક જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ કોગ્રેસ અને વિપક્ષના આંદોલનને લઇને શાબ્દિક હુમલો કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, કોગ્રેસ અને તેમના સાથી પક્ષો દેશની સંસદની વિરુદ્ધ મેદાનમાં ઉતર્યા છે. કેટલાક સપ્તાહ અગાઉ આપણી સંસદે નાગરિકતા સંશોધન કાયદાને મંજૂરી આપી હતી. પરંતુ કોગ્રેસ અને તેમના સાથી પક્ષો દેશમાં સંસદ વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ લોકો પાકિસ્તાનથી આવેલા દલિતો, પછાતો અને ઉત્પીડનો વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે. પાકિસ્તાનનો જન્મ  ધર્મના આધાર પર થયો હતો અને ત્યારથી બીજા ધર્મોના લોકો પર અત્યાચાર શરૂ થઇ ગયો હતો. સમયની સાથે પાકિસ્તાનમાં હિંદુ, શીખ, જૈન , બૌદ્ધ અને  ખ્રિસ્તીઓ પર સતત અત્યાચાર વધી રહ્યા છે.તેમણે કહ્યું કે, લાખો લોકોને પોતાનું ઘર છોડીને ભારત આવવું પડ્યું છે. પાકિસ્તાને આ લોકો પર અત્યાચાર કર્યો છે પરંતુ કોગ્રેસ અને અન્ય વિપક્ષી  પાર્ટીઓ પાકિસ્તાન વિરુદ્ધ નથી પરંતુ પીડિતો વિરુદ્ધ આંદોલન કરી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ત્રીજા હિસ્સો ખેડૂતોને આપ્યો હતો. તેમણે ડિઝિટલ ટ્રાન્જેક્શન દ્વારા 12000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા જે 6 કરોડ ખેડૂતોના ખાતામાં જશે. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6 રૂપિયા મળે છે. તેમણે કહ્યુ કે, અમે ખેડૂતોની આવક બે ગણી કરવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ. કૃષિ કર્મણ એવોર્ડ જીતનારા તમામ સાથીઓ અને દેશના તમામ ખેડૂતોને ખૂબ અભિનંદન. દેશના તમામ ખેડૂતોને નવા વર્ષની શુભેચ્છા. કર્ણાટક સહિત આખા ભારતમાં જળસંકટની સ્થિતિનો સામનો કરવા માટે સરકારે ઘર-ઘર પાણી પહોચાડવાનો સંકલ્પ લીધો છે. થોડા દિવસ અગાઉ અટલ ભૂજલ યોજના શરૂ કરી છે. જે હેઠળ કર્ણાટક સહિત દેશના સાત રાજ્યોમાં ભૂજલ સ્તરને ઉપર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. માછલી પાલકોને કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધાથી જોડવામાં આવી ચૂક્યા છે. નવી ફિશિંગ હાર્બર બનાવવામાં આવી રહ્યા છે. બોટને આધુનિકીકરણ માટે રાજ્યોને 2500 કરોડથી વધુ રૂપિયા આપવામાં આવી ચૂક્યા છે. ઇસરોની મદદથી  માછીમારોની સુરક્ષા માટે નેવિગેશન ડિવાઇસ બોટમાં લગાવાવમાં આવી રહ્યા છે. ભારત મસાલા ઉત્પાદન 25 લાખ ટનથી વધ્યું છે તો એક્સપોર્ટ પણ લગભગ 15 હજાર કરોડથી વધીને લગભગ 19 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચ્યુ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Embed widget