અમૃતલાલ મોદી, સુમન મોદી, અલ્કેશ મોદી,ટીનલ મોદી અને ધનવી મોદીના અકસ્માતમાં મોત નિપજ્યા હતા.
2/5
કારચાલકનો મૃતદેહ ખરાબ રીતે ફસાઇ ગયો હતો. જેથી તેનો મૃતદેહ સમયસર બહાર કાઢી શકાયો નહોતો. પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા બાદ ગેસ કટર વડે કારચાલકનો મૃતદેહ બહાર કઢાયો હતો.
3/5
જેમાં મોદી પરિવારના 4 સભ્યોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એક મહિલાને હોસ્પિટલ ખસેડાતા રસ્તામાં જ તેનું મોત નિપજ્યુ હતુ. આ ઘટનામાં એક બાળકીનો બચાવ થયો હતો.
4/5
માહિતી મુજબ, વડોદરાનો મોદી પરિવાર તેમના સંબંધીને ત્યાં પ્રસંગમાં જયપુર ગયો હતો. જ્યાંથી તેઓ આજે વડોદરા પરત ફરી રહ્યા હતા તે સમયે કારચાલકે અચાનક જ સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવતા કારનો અકસ્માત સર્જાયો હતો.
5/5
વડોદરા: વડોદરાના મોદી પરિવારની કારને જયપુરથી પરત ફરતા ઉદયપુર નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત નિપજ્યા છે. જો કે પરિવારની એક બાળકીનો ચમત્કારિક બચાવ થયો છે.