Gujarat Cabinet Expansion: મંત્રી મંડળમાં કોનો સમાવેશ થશે તેને લઈ abp અસ્મિતાની EXCLUSIVE જાણકારી
રાજ્ય મંત્રી મંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે.આવતીકાલે સાડા અગિયાર વાગ્યે નવા મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ યોજાશે. આવતીકાલે સાડા અગિયાર વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિરના પદમાનિત મંત્રીઓને રાજ્યપાલ હોદા અને ગોપનિયતાના શપથ, શપથગ્રહણ માટે મહાત્મા મંદિરમાં તૈયારીઓ પણ શરૂ થઈ ચુકી છે. પક્ષના તમામ ધારાસભ્યોને બે દિવસ સુધી ગાંધીનગરમાં જ રહેવાની ભાજપના વિધાનસભાના દંડકે સૂચના પહોંચાડી દીધી છે. મોટા ભાગના ધારાસભ્યો આજ બપોર સુધીમાં ગાંધીનગર પહોંચી ચુકવાના છે. જેમને હાલના મંત્રી મંડળમાંથી પડતા મુકવાના છે, તેમના રાજીનામા આજે જ લઈ લેવાના હોવાના કારણે મંત્રી મંડળના તમામ સભ્યો ઊંચાટના જીવ સાથે ગાંધીનગર પહોંચી રહ્યા છે. હાલના મંત્રીમંડળમાંથી 11 મંત્રીઓને પડતા મુકવામાં આવે તેવી સંભાવના છે. નવા 16 ચહેરાનો મંત્રી મંડળમાં સમાવેશની શક્યતા છે.
મંત્રી મંડળમાં કોનો સમાવેશ થશે તેને લઈને એબીપી અસ્મિતા પાસે EXCLUSIVE જાણકારી છે. છથી સાત ધારાસભ્યમાંથી એકને મંત્રી અથવા મંત્રી સક્ષમ પદ અપાશે. કચ્છના છ ધારાસભ્યમાંથી એક ધારાસભ્યને મંત્રી બનાવાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, માંડવીના ધારાસભ્ય અનિરૂદ્ધ દવેનો મંત્રીમંડળમાં સમાવેશ સંભવ છે.
અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં 53માંથી ભાજપના 43 ધારાસભ્ય છે. CM સિવાય ઉત્તર ગુજરાતમાંથી ચારનો મંત્રી મંડળમાં સમાવેશ કરાશે. ઉત્તર ગુજરાતમાંથી એક કડવા પટેલ, એક OBC, એક ST ધારાસભ્યનો સમાવેશ થશે. ઋષિકેશ પટેલ મંત્રી મંડળમાં યથાવત રહેશે. વાવના સ્વરૂપજી ઠાકોરનો મંત્રી મંડળમાં સમાવેશની શક્યતા છે. લવિંગજી ઠાકોર, ભિલોડાના ધારાસભ્ય અને પૂર્વ સનદી અધિકારી પી.સી.બરંડાનો મંત્રીમંડળમાં સમાવેશ શક્ય છે. સૌરાષ્ટ્રની 47 પૈકી ભાજપ પાસે 42 બેઠક છે. સૌરાષ્ટ્રના સાતથી આઠ ધારાસભ્ય મંત્રી બનશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રના ત્રણ લેઉવા અને એક કડવા પાટીદાર ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. કોળી સમાજના બે અને આહિર સમાજના એક ધારાસભ્યને મંત્રી બનાવાશે. સૌરાષ્ટ્રમાં SCના એક અને ક્ષત્રિય સમાજમાંથી એક ધારાસભ્યને મંત્રી બનાવાશે. કિરીટસિંહ રાણા, રિવાબા જાડેજાનો મંત્રીમંડળમાં સંભવ છે. સૌરાષ્ટ્રમાંથી જીતુ વાઘાણીનો મંત્રીમંડળમાં સમાવેશ નિશ્ચિત છે. કચ્છમાંથી અનિરૂદ્ધ દવેને રાજ્ય મંત્રીમંડળમાં સ્થઆન મળી શકે છે. જયેશ રાદડિયાનો પણ મંત્રી મંડળમાં સમાવેશની શક્યતા છે. મહેશ કસવાલા અથવા કૌશિક વેકરિયા પૈકી કોઈ એકને સ્થાન મળી શકે છે. કાંતિભાઈ અમૃતિયાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. કાંતિભાઈ અમૃતિયા અથવા સંજય કોરડિયા પૈકી કોઈ એકને સ્થાન મળી શકે છે.















