Ambalal Patel Prediction: મંત્રીમંડળના વિસ્તરણ અંગે અંબાલાલ પટેલની આગાહી
વરસાદની આગાહીને લઈ સમગ્ર ગુજરાતમાં જાણીતા અંબાલાલ પટેલે હવે ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણને લઈ ચોંકાવનારી આગાહી કરી દિધી છે. તેમણે ભવિષ્યવાણી કરી છે કે ગુજરાત રાજ્યના પ્રધાનમંડળમાં મોટા ફેરફારો થઈ શકે છે, જેમાં કેટલાક નેતાઓને તેમના પદ પરથી હટાવવામાં આવશે અથવા પડતા મૂકવામાં આવશે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર દિવાળી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. તેમણે જણાવ્યું કે, વિસ્તરણ સમયે ભાજપમાં ડખો સામે આવી શકે છે. કેટલાક પ્રધાનોને મંત્રીમંડળમાંથી પડતા મુકવામાં આવશે. નવા ચહેરાઓને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવશે. સરકારના પાયામાંથી મોટાપાયે ફેરફાર થઈ શકે છે.
રાજ્યમાં મંત્રી મંડળમાં વિસ્તરણ પર આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું કે, દિવાળી પહેલા મોટાપાયે ફેરફાર થશે. મંત્રી મંડળમાં વિસ્તરણ કરાશે. રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી ભાજપ વધુ મજબૂત બનશે તેમ અંબાલાલ પટેલે આગાહી કરી છે.
અંબાલાલ પટેલના મતે, આ સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યના પ્રધાનમંડળમાં ધરખમ ફેરફારો થવાની સંભાવના છે. ઘણા રાજકીય નેતાઓને તેમના પદ પરથી હટાવી દેવામાં આવી શકે છે અથવા તેમને પડતા મૂકવામાં આવશે.
















