Patan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?
Patan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત | Abp Asmita | 10-2-2025
પાટણના ચાણસ્મામાં તળાવમાં ડૂબી જવાથી પાંચના મૃત્યુ થયા છે. વડાવલી ગામમાં તળાવમાં એક જ પરિવારના પાંચ લોકો ડૂબી જતાં અરેરાટી વ્યાપી ગઇ છે. ઉલ્લેખનિય છે કે, પશુ ચરાવવા જતા સમયે દુર્ઘટના બની હતી. દુર્ઘટના એવી રીતે ઘટી કે બાળકને ડૂબી જતાં જોઇને મહિલા સહિત ત્રણ લોકો બાળકને બચાવવા તળાવમાં કૂદ્યાં હતા. જેના પગલે માતા-પુત્ર, પુત્રી અને અન્ય બે બાળકોના મોત થયા છે. મૃતકમાં 25 વર્ષીય ફિરોઝા બાનુ, 10 વર્ષીય માહીરા બાનુ મલેક, 8 વર્ષીય અબ્દૂલ કાદરી મલેક, 14 વર્ષીય સીમુ પઠાણ, અને 16 વર્ષીય સોહીલ રહીમ કુરેશીનો સમાવશે થાય છે. બાળકને બચાવવા જતાં તળાવમાં આખો પરિવાર ડૂબી ગયો. એક પરિવારના ચાર બાળકો અને એક મહિલાનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
રવિવારના સાંજે માતા-પુત્ર અને પુત્રી સાથે અન્ય બે બાળકો પશુ ચરાવવા માટે ગયા હતા.જ્યાં તળાવમાં પગ લપસી જતા એક બાળક ડૂબવા લાગ્યો.બાળકને બચાવવા મહિલા ગઈ બાદ અન્ય બાળકો પણ તળાવના પાણીમાં ગરકાવ થયા.જો કે પશુઓ એકલા જ ઘરે આવતા પરિવારના લોકોની સાથે ગામના લોકો એકત્ર થયા.તળાવ પાસે પગરખા જોવા મળતા લોકોએ શોધખોળ શરૂ કરી.જેમાં તળાવમાંથી ચાર બાળક સહિત એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો.જો કે સમગ્ર ઘટનાને લઈ ગામમાં શોકનો માહોલ ફેલાયો.પાંચેય મૃતદેહને ચાણસ્મા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા.સાથે જ સ્થાનિક પોલીસ સહિત ચાણસ્મા પ્રાંત અધિકારી પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા...અને તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકવાયા છે .જ્યાં પણ ગામના સરપંચ સહિત લોકો એકત્ર થયા હતા.


















