PM Modi To Address Nation: PM મોદી આજે રાત્રે 8.30 વાગ્યે કરશે રાષ્ટ્રને સંબોધન | abp Asmita
PM Modi To Address Nation: PM મોદી આજે રાત્રે 8.30 વાગ્યે કરશે રાષ્ટ્રને સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8:30 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. તેઓ મહિલા અનામત સાથે જોડાયેલ બંધારણીય સુધારા બિલ સંસદમાં પાસ ન થઈ શકવા બાબતે વાત કરી શકે છે. જોકે સંબોધનનો વિષય હજુ સ્પષ્ટ કરવામાં આવ્યો નથી, પરંતુ સામાન્ય રીતે વડાપ્રધાનનું રાષ્ટ્રજોગ સંબોધન મોટા નિર્ણયો અથવા મહત્વપૂર્ણ જાહેરાતો માટે હોય છે. આ સંબોધન ટીવી ચેનલો અને ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈવ પ્રસારિત કરવામાં આવશે. આ પહેલા PM એ 21 સપ્ટેમ્બર 2025 ના રોજ રાષ્ટ્રને સંબોધિત કરતા 'GST બચત ઉત્સવ' ની જાહેરાત કરી હતી. શુક્રવારે કેન્દ્ર સરકાર લોકસભામાં બેઠકો વધારવા માટે લાવવામાં આવેલ બંધારણનું 131 મું સુધારા બિલ લોકસભામાં પાસ કરાવી શકી નહોતી.
















