શોધખોળ કરો
રાજકોટમાંથી વન વિભાગની ટીમે ત્રણ સિંહને પાંજરે પૂર્યા, જુઓ વીડિયો
રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 45 દિવસથી વધુ સમયથી ત્રણ સિંહોએ ધામા નાખ્યા હતા. અલગ-અલગ વિસ્તારમાં ત્રણ સિંહો આંટાફેરા કરતા કેમેરામાં કેદ થયા હતાં. સાવજોના ધામાથી ખેડૂતો ચિંતિત બન્યા હતા અને સિંહને પાંજરે પૂરવા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. સ્થાનિક વન વિભાગની ટીમો આ ત્રણ સિંહોની શોધખોળ કરી રહી હતી. આ વચ્ચે જ ગીરથી ફોરેસ્ટ વિભાગની ટીમને જાણ કરાઈ હતી. ગીર ફોરેસ્ટની ટીમે ધામા નાંખી સિંહોનું લોકેશન ટ્રેક કર્યું અને વહેલી સવારે ઓપરેશન પાર પાડી ત્રણેય સિંહને પાંજરે પૂરી દીધા હતા.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ




















