શોધખોળ કરો

Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?

Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?

Rajkot News: રાજકોટમાં બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પોતાના ત્રણ દિવસીય કથા કાર્યક્રમ દરમિયાન અનેક સામાજિક, ધાર્મિક અને રાજકીય મુદ્દાઓ પર ખુલ્લેઆમ મંતવ્ય વ્યક્ત કર્યા હતા. કથાના બીજા દિવસે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે ધર્માંતરણ, જેહાદ, રાજકારણ અને અંધશ્રદ્ધા જેવા મુદ્દાઓ પર સ્પષ્ટ નિવેદનો આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે થૂક જેહાદ, લેન્ડ જેહાદ, લવ જેહાદ બાદ હવે વધુ એક જેહાદની ઘટના બની છે અને તે છે ફ્રેન્ડ જેહાદ. ગાઝિયાબાદમાં ફ્રેન્ડ જેહાદ થયું હતું. સૂર્યા નામના બાળક સાથે દોસ્તી જેહાદની ઘટના બની છે. 

તેમણે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં સૂર્યા સાથે બનેલી ઘટના "ફ્રેન્ડ જેહાદ"નો મામલો છે. તેમણે ઉમેર્યું હતું કે દક્ષિણ ગુજરાત પણ ધાર્મિક પરિવર્તન અને લવ જેહાદથી ઘેરાયેલું છે. અમે સમગ્ર ભારતમાં આ મુદ્દા પર કામ કરી રહ્યા છીએ અને તેથી જ ધામ, સનાતન અને આપણા બધાને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ખૂબ જ ટૂંક સમયમાં અમે દક્ષિણ ગુજરાતમાં "ઘર વાપસી"નું આયોજન કરીશું."

ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિન્દુત્વ વિશે શું કહ્યું?

ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ભારતને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બાદ હિન્દુત્વ ઈન્ટેલિજન્સની જરૂર છે. હિન્દુત્વ ઈન્ટેલિજન્સમાં શ્રીમંત હિન્દુઓએ ગરીબ હિન્દુઓને સપોર્ટ કરવો જોઈએ. હિન્દુઓને વધુ કામ આપવું જોઈએ. કોઈ પણ હિન્દુ બેરોજગાર ન રહે. તેમણે વધુમાં કહ્યું હતું કે આપણે જાતિથી ઉપર ઉઠીને હિન્દુ એકતાનો સંકલ્પ પુરો કરવો જોઈએ અને સમગ્ર દેશમાં વિવિધતામાં એકતાના સાર્વભૌમત્વને ફેલાવવાનો પ્રયાસ કરવો જોઈએ. આ AI પછી HIનું મહત્વ છે.

બાગેશ્વરધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટની મુલાકાતે છે. દરમિયાન તેમણે મીડિયા સાથે ચર્ચા કરતાં અનેકવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. બાબા બાગેશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે દેશમાં અશાંતિ ન ફેલાવી જોઈએ , જૂની કે નવી પાર્ટી દેશને એક રાખવા માટે કામ કરે. દેશમાં અશાંતિ ફેલાવનારાને ઓળખવાની જરૂર છે. જે પણ વ્યક્તિ સનાતની છે તેને કોઈ સમસ્યા હોય તો મારી પાસે આવી શકે છે. 

ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિન્દુ સમાજની એકતા પર ભાર મૂકતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, દેશમાં હિન્દુઓમાં કોઈપણ પ્રકારના ભાગલા ન પડવા જોઈએ. જે પણ વ્યક્તિ સનાતની છે અને તેને જો કોઈ પણ પ્રકારની સમસ્યા કે તકલીફ હોય, તો તે સંકોચ વગર સીધા મારી પાસે આવી શકે છે. આ ઉપરાંત તેમણે દક્ષિણ ગુજરાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ત્યાં પણ હાલના સમયમાં ધાર્મિક અને સામાજિક સમસ્યાઓ જોવા મળી રહી છે, જેથી ત્યાં પણ સમયસર જાગૃત્તિ લાવવી અનિવાર્ય છે.

દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં થઈ રહેલા ધર્માંતરણ અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, સનાતન ધર્મ પ્રત્યે જાગૃતિ લાવવી સમયની માંગ છે અને તે માટે તેઓ ટૂંક સમયમાં દક્ષિણ ગુજરાતની મુલાકાત લઈને જનજાગૃતિ અભિયાન શરૂ કરશે.

રાજકોટ વિડિઓઝ

Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: 1947 થી અત્યાર સુધી ક્યારે કેટલો વધ્યો લઘુત્તમ પગાર? જુઓ આંકડા
8મું પગાર પંચ: 1947 થી અત્યાર સુધી ક્યારે કેટલો વધ્યો લઘુત્તમ પગાર? જુઓ આંકડા
Iran Hit List: ટ્રમ્પ અને મેલોની સહિત વિશ્વના 13 નેતાઓ ઈરાનના હિટ લિસ્ટમાં?
Iran Hit List: ટ્રમ્પ અને મેલોની સહિત વિશ્વના 13 નેતાઓ ઈરાનના હિટ લિસ્ટમાં?
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Embed widget