Parshottam Rupala : પરસોત્તમ રૂપાલાએ કડવા પાટીદાર સમાજને શું કરી ટકોર?
રાજકોટના ઇશ્વરીયા ગામે કડવા પાટીદારોનું મહાસંમેલન યોજાયું. અહીં રૂ.125 કરોડના ખર્ચે જીવન વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રાજકોટમાં આયોજિત કડવા પાટીદાર સંમેલન દરમિયાન પરષોત્તમ રૂપાલાએ સામાજિક મૂલ્યો અને કૌટુંબિક માળખા પર ગંભીર ટકોર કરતા કહ્યું કે, ઘરે કે કુટુંબમાં કેટલા ડસ્ટબીન (વડીલો)છે એવું પૂછે છે. સહકુટુંબમાં અને ગામડે દીકરી દેવી નથી એ ચિંતાજનક છે, ચિંતન કરજો, નહીં તો પ્રાણીઓ જેવી સ્થિતિ બનશે. સામાજિક વિભાજન અને વિઘટનને કારણે સહન શક્તિ ખૂટી છે. માતા કંઈ કહે તો દીકરી સુસાઇડ કરી લે છે. શોપિંગમાં ન જવા દેવાને લીધે ડાયવોર્સ થયાના કિસ્સાઓ છે.
રાજકોટમાં આયોજીત કડવા પાટીદાર સમાજના સંમેલનમાં સાંસદ પરષોત્તમ રૂપાલાએ કર્યું સંબોધન. પરષોત્તમ રુપાલાએ લગ્ન વ્યવસ્થા,સામાજિક પ્રસંગો અને સમાધાન પંચને લઈને સંબોધનમાં કરી વાત. લગ્નમાં પ્રિ-વેડિંગ શુટના શરૂ થયેલા ટ્રેન્ડને લઈને સમાજના યુવાનોને કરી ટકોર. તો વિસરાતા લગ્નગીતો ,મરણ સમયની વિધિથી અજાણતા જેવા મુદ્દાઓ પર સમાજની મહિલાઓને પણ ટકોર કરી.






















