ઓટાવાઃ નવરાત્રિના તહેવાનો ઉત્સાહ અને ઉમંગ માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં વિદેશમાં પણ છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ પણ આ તહેવારની શુભકામના પાઠવી છે. તેમણે એક નિવેદન જાહેર કરીને કેનેડા સહિત વિશ્વભરના લોકોને શુભેચ્છા પાઠવી હતી.
2/4
થોડા મહિનાઓ પહેલા જસ્ટિન ટ્રૂડો ભારત પ્રવાસે આવ્યા ત્યારે અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત પણ લીધી હતી. આ દરમિયાન તેમણે ત્યાં રેંટિયો કાંત્યો હતો.
3/4
આ સમગ્ર તહેવારના જશ્ન માટે પરિવાર અને મિત્રો એક સાથે આવે છે. પૂજા, નાચ-ગાન અને વિવિધ પરંપરાઓનું પાલન કરે છે. આ પરંપરા તેમને વારસામાં મળેલી હોય છે. ટ્વિટમાં તેણે લખ્યુ કે, કેનેડા અને વિશ્વભરમાં નવરાત્રિ મનાવી રહેલા હિન્દુ સમુદાયના લોકોને આ તહેવાની શુભકામના.
4/4
ટ્રૂડોએ કહ્યું, આજે સાંજે કેનેડા સહિત વિશ્વભરમાં હિન્દુ સમુદાયના લોકો માટે નવરાત્રિના તહેવાનો જશ્ન શરૂ થશે. આ જશ્ન જીત માટે મનાવવામાં આવે છે અને નવ રાત તથા 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. હવે આ તહેવાર વિશ્વભરમાં હિન્દુ અને બિન હિન્દુઓ દ્વારા ધામધૂમથી મનાવવામાં આવે છે.