શોધખોળ કરો

Lumpy Virus in Animals: પશુમાં લમ્પી વાયરસ જણાય તો આ નંબર પર ખેડૂતો કરે ફોન, જાણો કેવી રીતે ફેલાય છે

આ રોગ કેપ્રી પોક્ષ નામના વાયરસથી થાય છે. આ વાયરસ માખી, મચ્છર તેમજ પશુઓના શરીર પર જોવા મળતા જૂ તથા ઇતરડીથી ફેલાય છે. વધુમાં આ રોગ પશુઓના સીધા સંપર્કથી પણ ફેલાય છે.

Lumpy Virus in Animals:  ગુજરાતના કચ્છ  જિલ્લાના ઘણા વિસ્તારોમાં ગાયોમાં હાલમાં લમ્પી સ્કીન ડીસીઝ (LSD) નામનો ચેપી રોગચાળો જોવા મળેલ છે. આ રોગ કેપ્રી પોક્ષ નામના વાયરસથી થાય છે.  આ વાયરસ માખી, મચ્છર તેમજ પશુઓના શરીર પર જોવા મળતા જૂ તથા ઇતરડીથી ફેલાય છે. વધુમાં આ રોગ પશુઓના સીધા સંપર્કથી પણ ફેલાય છે.

રોગના લક્ષણ:  રોગના વાયરસ પશુના શરીરમાં દાખલ થયાના એક અઠવાડિયાની અંદર આ રોગના ચિન્હો જોવા મળે છે.

  •  જેમ કે, પશુને તાવ આવે છે, પશુ ખાવાનું ઓછું કરે છે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે.
  • મોઢામાંથી લાળ પડે છે. ત્યારબાદ પશુની ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે, પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર થાય છે.
  • રોગીષ્ટ પશુઓ પોતાના શરીરની રોગપ્રતિકારક શક્તિને લીધે આપોઆપ 2 થી 3 અઠવાડિયામાં સાજુ થઇ જાય છે, રોગચાળો ફ્લાવાનો દર માત્ર 10 થી 20 ટકા છે. જ્યારે મૃત્યુ દર ખૂબજ ઓછો 1 થી 2 ટકા છે.


Lumpy Virus in Animals: પશુમાં લમ્પી વાયરસ જણાય તો આ નંબર પર ખેડૂતો કરે ફોન, જાણો કેવી રીતે ફેલાય છે

મનુષ્યમાં નથી ફેલાતો આ રોગ

આ રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો નથી.આરોગ મુખ્યત્વે તેના લક્ષણો પરથી પરખાઇ આવે છે. તે ઉપરાંત પી.સી.આર. અને એલાઇઝા પ્રકારની ટેસ્ટ દ્વારા લેબોરેટરી નિદાન થાય છે. 

રોગચાળાને અટકાવવા અને  કાબૂમાં લેવાના પગલાં

આ રોગચાળાને  કાબૂમાં લેવા માટે બીમાર પશુઓને બીજા તંદુરસ્ત પશુઓથી તાત્કાલિક અલગ કરવા. પશુઓની રહેઠાણની જગ્યા સ્વચ્છ રાખવી તેમજ યોગ્ય દવાઓનાં ઉપયોગથી માખી, મચ્છર અને ઇતરડી નો ઉપદ્રવ અટકાવવો. રોગગ્રસ્ત વિસ્તારમાંથી કોઇ પશુ લાવવું નહી. આ રોગ તંદુરસ્ત પશુઓમાં ન આવે એટલા માટે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ કરવું.


Lumpy Virus in Animals: પશુમાં લમ્પી વાયરસ જણાય તો આ નંબર પર ખેડૂતો કરે ફોન, જાણો કેવી રીતે ફેલાય છે

કેમિકલથી વધારે શક્તિશાળી છે જીવામૃત, પાકને આપશે અમૃત જેવી શક્તિ, જાણો બનાવવાની રીત

બજારમાં ઓર્ગેનિક ઉત્પાદનોની વધતી જતી માંગને કારણે હવે ખેડૂતો પાક ઉગાડવા માટે ઓર્ગેનિક ખેતી પણ અપનાવી રહ્યા છે. ઓર્ગેનિક ખેતીથી ખર્ચની બચત થાય છે. સાથે જ ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે. આ ચમત્કારની પાછળ જૈવિક સંસાધનોમાંથી બનાવવામાં આવેલા જીવામૃતનું યોગદાન છે. જેના ઉપયોગથી પાકનો વિકાસ ઝડપી બને છે અને પાકમાં જીવજંતુઓ તથા રોગો થવાની સંભાવના પણ દૂર થાય છે. ખૂબ જ ઓછા ખર્ચે બનતું જીવામૃત જમીનને સોનામાં ફેરવી નાખે છે અને પાકને અમૃતની જેમ શુદ્ધ કરે છે.

આવી રીતે બનાવો જીવામૃત

ખેડૂત ભાઈઓ કે જેઓ આ વખતે તેમના પાકની જૈવિક ખેતી કરવા માંગે છે તેઓ ઘરે જ જીવામૃત, જૈવિક ખાતર અને જૈવિક જંતુનાશકો બનાવી શકે છે. તેમાં ઉપયોગમાં લેવામાં આવતી મોટાભાગની વસ્તુઓ ખેડૂતોના ઘરમાં હાજર હોય છે. આવો જાણીએ તેને બનાવવાની રીત –

  • જીવામૃત બનાવવા માટે પહેલા 10 લીટર ગૌમૂત્ર, 3 કિલો ગોળ, 5 કિ.ગ્રા. ગાયનું છાણ અને 2 કિ.ગ્રા. બેસન અને પ્લાસ્ટિકનું કન્ટેનર લો.
  • સૌ પ્રથમ એક અલગ વાસણમાં 3 કિલો ગોળને પીસીને એટલા જ પાણીમાં ઓગાળી લો.
  • પાત્રમાં ગૌમૂત્ર અને બેસન ઉમેરીને દરેક ગઠ્ઠા ઓગળી જાય તેવું મિશ્રણ તૈયાર કરો.
  • જે બાદ છાણ અને પાણીમાં ઓગળેલા ગોળનું મિશ્રણ ઉમેરો, લાકડીઓની મદદથી દ્રાવણને મિક્સ કરો
  • છેલ્લે 2 કિલો બેસન મિક્સ કરીને લાકડીની મદદથી થોડી વાર માટે હલાવીને બરાબર મિક્સ કરો.
  • આ દ્રાવણમાં થોડું પાણી ઉમેરીને તેને 7 દિવસ સુધી ઢાંકીને રોજ લાકડીઓની મદદથી ફેરવતાં રહો.
  • 7 દિવસ પછી આ દ્રાવણનો ઉપયોગ છોડ પર જંતુનાશક અને પોષણ તરીકે થઈ શકે છે.

શું છે જીવામૃતના ફાયદા

  • ખેતરોમાં જીવામૃત છોડના મૂળને ઓક્સિજન લેવામાં મદદ કરે છે.
  • જીવાામૃતનો ઉપયોગ કમ્પોસ્ટિંગમાં પણ થાય છે, તે અળસિયાની સંખ્યા વધારવામાં પણ મદદ કરે છે.
  • તેનો ઉપયોગ છોડને પોષક તત્વો શોષવામાં પણ મદદ કરે છે.
  • જીવામૃત જમીનની ફળદ્રુપતા તેમજ પાકનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે.
  • આનાથી પાકને ઉગાડતા સૂક્ષ્મજીવો, જીવાણું અને બેક્ટેરિયા ઝડપથી કામ કરે છે.
  • તેના ઉપયોગથી જમીન નરમ પડે છે, જે મૂળિયાને ફેલાવવામાં મદદ કરે છે.
  • જીવામૃતનો ઉપયોગ ઉજ્જડ જમીનને ફળદ્રુપ બનાવવામાં પણ મદદ કરે છે.
  • જીવામૃત બીજના અંકુરણ અને પાંદડાને લીલા બનાવવામાં ઘણી મદદ કરે છે.
  • તેના ઉપયોગથી ઉગાડવામાં આવતા શાકભાજી, ફળો અને અનાજનો સ્વાદ અલગ હોય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

White Brinjal Farming: પરંપરાગત ખેતી છોડો અને કરો સફેદ રીંગણની ખેતી, 3-4 મહિનામાં જ થશે બમ્પર કમાણી
White Brinjal Farming: પરંપરાગત ખેતી છોડો અને કરો સફેદ રીંગણની ખેતી, 3-4 મહિનામાં જ થશે બમ્પર કમાણી
Agriculture: ચાલુ વર્ષે 5 દિવસ મોડું બેસ્યું ચોમાસું, આનાથી પાકોની ક્વોલિટી પર શું પડશે અસર ? જાણો
Agriculture: ચાલુ વર્ષે 5 દિવસ મોડું બેસ્યું ચોમાસું, આનાથી પાકોની ક્વોલિટી પર શું પડશે અસર ? જાણો
Agriculture: ખેડૂતભાઈઓ આ સરકારી સ્કીમમાં રોકે માત્ર 55 રૂપિયા, 60 ની ઉંમર પછી દર વર્ષે મળશે 36 હજાર
Agriculture: ખેડૂતભાઈઓ આ સરકારી સ્કીમમાં રોકે માત્ર 55 રૂપિયા, 60 ની ઉંમર પછી દર વર્ષે મળશે 36 હજાર
ખેડૂતો માટે કમાણીનો શોર્ટકટ! પરંપરાગત ખેતી છોડી આ ઔષધીય છોડ વાવો, ઓછા સમયમાં બની જશો લખપતિ
ખેડૂતો માટે કમાણીનો શોર્ટકટ! પરંપરાગત ખેતી છોડી આ ઔષધીય છોડ વાવો, ઓછા સમયમાં બની જશો લખપતિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
Embed widget