શોધખોળ કરો

Lumpy Virus in Animals: પશુમાં લમ્પી વાયરસ જણાય તો આ નંબર પર ખેડૂતો કરે ફોન, જાણો કેવી રીતે ફેલાય છે

આ રોગ કેપ્રી પોક્ષ નામના વાયરસથી થાય છે. આ વાયરસ માખી, મચ્છર તેમજ પશુઓના શરીર પર જોવા મળતા જૂ તથા ઇતરડીથી ફેલાય છે. વધુમાં આ રોગ પશુઓના સીધા સંપર્કથી પણ ફેલાય છે.

Lumpy Virus in Animals:  ગુજરાતના કચ્છ  જિલ્લાના ઘણા વિસ્તારોમાં ગાયોમાં હાલમાં લમ્પી સ્કીન ડીસીઝ (LSD) નામનો ચેપી રોગચાળો જોવા મળેલ છે. આ રોગ કેપ્રી પોક્ષ નામના વાયરસથી થાય છે.  આ વાયરસ માખી, મચ્છર તેમજ પશુઓના શરીર પર જોવા મળતા જૂ તથા ઇતરડીથી ફેલાય છે. વધુમાં આ રોગ પશુઓના સીધા સંપર્કથી પણ ફેલાય છે.

રોગના લક્ષણ:  રોગના વાયરસ પશુના શરીરમાં દાખલ થયાના એક અઠવાડિયાની અંદર આ રોગના ચિન્હો જોવા મળે છે.

  •  જેમ કે, પશુને તાવ આવે છે, પશુ ખાવાનું ઓછું કરે છે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે.
  • મોઢામાંથી લાળ પડે છે. ત્યારબાદ પશુની ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે, પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર થાય છે.
  • રોગીષ્ટ પશુઓ પોતાના શરીરની રોગપ્રતિકારક શક્તિને લીધે આપોઆપ 2 થી 3 અઠવાડિયામાં સાજુ થઇ જાય છે, રોગચાળો ફ્લાવાનો દર માત્ર 10 થી 20 ટકા છે. જ્યારે મૃત્યુ દર ખૂબજ ઓછો 1 થી 2 ટકા છે.


Lumpy Virus in Animals:  પશુમાં લમ્પી વાયરસ જણાય તો આ નંબર પર ખેડૂતો કરે ફોન,  જાણો કેવી રીતે ફેલાય છે

મનુષ્યમાં નથી ફેલાતો આ રોગ

આ રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો નથી.આરોગ મુખ્યત્વે તેના લક્ષણો પરથી પરખાઇ આવે છે. તે ઉપરાંત પી.સી.આર. અને એલાઇઝા પ્રકારની ટેસ્ટ દ્વારા લેબોરેટરી નિદાન થાય છે. 

રોગચાળાને અટકાવવા અને  કાબૂમાં લેવાના પગલાં

આ રોગચાળાને  કાબૂમાં લેવા માટે બીમાર પશુઓને બીજા તંદુરસ્ત પશુઓથી તાત્કાલિક અલગ કરવા. પશુઓની રહેઠાણની જગ્યા સ્વચ્છ રાખવી તેમજ યોગ્ય દવાઓનાં ઉપયોગથી માખી, મચ્છર અને ઇતરડી નો ઉપદ્રવ અટકાવવો. રોગગ્રસ્ત વિસ્તારમાંથી કોઇ પશુ લાવવું નહી. આ રોગ તંદુરસ્ત પશુઓમાં ન આવે એટલા માટે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ કરવું.


Lumpy Virus in Animals:  પશુમાં લમ્પી વાયરસ જણાય તો આ નંબર પર ખેડૂતો કરે ફોન,  જાણો કેવી રીતે ફેલાય છે

કેમિકલથી વધારે શક્તિશાળી છે જીવામૃત, પાકને આપશે અમૃત જેવી શક્તિ, જાણો બનાવવાની રીત

બજારમાં ઓર્ગેનિક ઉત્પાદનોની વધતી જતી માંગને કારણે હવે ખેડૂતો પાક ઉગાડવા માટે ઓર્ગેનિક ખેતી પણ અપનાવી રહ્યા છે. ઓર્ગેનિક ખેતીથી ખર્ચની બચત થાય છે. સાથે જ ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે. આ ચમત્કારની પાછળ જૈવિક સંસાધનોમાંથી બનાવવામાં આવેલા જીવામૃતનું યોગદાન છે. જેના ઉપયોગથી પાકનો વિકાસ ઝડપી બને છે અને પાકમાં જીવજંતુઓ તથા રોગો થવાની સંભાવના પણ દૂર થાય છે. ખૂબ જ ઓછા ખર્ચે બનતું જીવામૃત જમીનને સોનામાં ફેરવી નાખે છે અને પાકને અમૃતની જેમ શુદ્ધ કરે છે.

આવી રીતે બનાવો જીવામૃત

ખેડૂત ભાઈઓ કે જેઓ આ વખતે તેમના પાકની જૈવિક ખેતી કરવા માંગે છે તેઓ ઘરે જ જીવામૃત, જૈવિક ખાતર અને જૈવિક જંતુનાશકો બનાવી શકે છે. તેમાં ઉપયોગમાં લેવામાં આવતી મોટાભાગની વસ્તુઓ ખેડૂતોના ઘરમાં હાજર હોય છે. આવો જાણીએ તેને બનાવવાની રીત –

  • જીવામૃત બનાવવા માટે પહેલા 10 લીટર ગૌમૂત્ર, 3 કિલો ગોળ, 5 કિ.ગ્રા. ગાયનું છાણ અને 2 કિ.ગ્રા. બેસન અને પ્લાસ્ટિકનું કન્ટેનર લો.
  • સૌ પ્રથમ એક અલગ વાસણમાં 3 કિલો ગોળને પીસીને એટલા જ પાણીમાં ઓગાળી લો.
  • પાત્રમાં ગૌમૂત્ર અને બેસન ઉમેરીને દરેક ગઠ્ઠા ઓગળી જાય તેવું મિશ્રણ તૈયાર કરો.
  • જે બાદ છાણ અને પાણીમાં ઓગળેલા ગોળનું મિશ્રણ ઉમેરો, લાકડીઓની મદદથી દ્રાવણને મિક્સ કરો
  • છેલ્લે 2 કિલો બેસન મિક્સ કરીને લાકડીની મદદથી થોડી વાર માટે હલાવીને બરાબર મિક્સ કરો.
  • આ દ્રાવણમાં થોડું પાણી ઉમેરીને તેને 7 દિવસ સુધી ઢાંકીને રોજ લાકડીઓની મદદથી ફેરવતાં રહો.
  • 7 દિવસ પછી આ દ્રાવણનો ઉપયોગ છોડ પર જંતુનાશક અને પોષણ તરીકે થઈ શકે છે.

શું છે જીવામૃતના ફાયદા

  • ખેતરોમાં જીવામૃત છોડના મૂળને ઓક્સિજન લેવામાં મદદ કરે છે.
  • જીવાામૃતનો ઉપયોગ કમ્પોસ્ટિંગમાં પણ થાય છે, તે અળસિયાની સંખ્યા વધારવામાં પણ મદદ કરે છે.
  • તેનો ઉપયોગ છોડને પોષક તત્વો શોષવામાં પણ મદદ કરે છે.
  • જીવામૃત જમીનની ફળદ્રુપતા તેમજ પાકનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે.
  • આનાથી પાકને ઉગાડતા સૂક્ષ્મજીવો, જીવાણું અને બેક્ટેરિયા ઝડપથી કામ કરે છે.
  • તેના ઉપયોગથી જમીન નરમ પડે છે, જે મૂળિયાને ફેલાવવામાં મદદ કરે છે.
  • જીવામૃતનો ઉપયોગ ઉજ્જડ જમીનને ફળદ્રુપ બનાવવામાં પણ મદદ કરે છે.
  • જીવામૃત બીજના અંકુરણ અને પાંદડાને લીલા બનાવવામાં ઘણી મદદ કરે છે.
  • તેના ઉપયોગથી ઉગાડવામાં આવતા શાકભાજી, ફળો અને અનાજનો સ્વાદ અલગ હોય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
તમારા ફોનમાં 'સંચાર સાથી' એપથી શું ઈચ્છે છે સરકાર? વિપક્ષે ઉઠાવ્યા સવાલ
તમારા ફોનમાં 'સંચાર સાથી' એપથી શું ઈચ્છે છે સરકાર? વિપક્ષે ઉઠાવ્યા સવાલ
8th Pay Commission: શું DA  અને બેસિક પેને લઈને સરકારનું મોટું નિવેદન? સંસદમાં આપી જાણકારી
8th Pay Commission: શું DA અને બેસિક પેને લઈને સરકારનું મોટું નિવેદન? સંસદમાં આપી જાણકારી
Advertisement

વિડિઓઝ

Swami Pradiptananda Saraswati : લગ્ન સમયે 3 સંતાનનો સંકલ્પ લેવો જોઇએ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે સોનું-ચાંદી ?
Harsh Sanghavi : સરદાર સાહેબની ગાથાને કોંગ્રેસ દબાવી રહી હતી, નાયબ મુખ્યમંત્રીના કોંગ્રેસ પર પ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : સમુહલગ્નમાં CMનો કોમનમેન અંદાજ
Hun To Bolish : હું તો બોલીશ : સેમ્પલના નામે તમાશો ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
તમારા ફોનમાં 'સંચાર સાથી' એપથી શું ઈચ્છે છે સરકાર? વિપક્ષે ઉઠાવ્યા સવાલ
તમારા ફોનમાં 'સંચાર સાથી' એપથી શું ઈચ્છે છે સરકાર? વિપક્ષે ઉઠાવ્યા સવાલ
8th Pay Commission: શું DA  અને બેસિક પેને લઈને સરકારનું મોટું નિવેદન? સંસદમાં આપી જાણકારી
8th Pay Commission: શું DA અને બેસિક પેને લઈને સરકારનું મોટું નિવેદન? સંસદમાં આપી જાણકારી
ઇન્ડિગોની ફલાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, મુંબઇમાં ઇમર્જન્સી લેન્ડિંગ
ઇન્ડિગોની ફલાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, મુંબઇમાં ઇમર્જન્સી લેન્ડિંગ
Air Pollution: અમદાવાદની હવા બની અત્યંત ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
Air Pollution: અમદાવાદની હવા બની અત્યંત ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
પાંચ વર્ષમાં કેટલી ખાનગી કંપનીઓ થઈ બંધ? સરકારે સંસદમાં આપી જાણકારી
પાંચ વર્ષમાં કેટલી ખાનગી કંપનીઓ થઈ બંધ? સરકારે સંસદમાં આપી જાણકારી
Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
Embed widget