શોધખોળ કરો
ઠાકોર સમાજમાંથી મંત્રી ના બનાવાતાં ફરતા થયા કેવા મેસેજ ? અલ્પેશે કર્યો શું હુંકાર? જાણો
1/5

આ મેસેજ વાયરલ થતાં ઠાકોર સમાજના લોકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી કહ્યા છે. ખાસ કરીને વોટ્સએપ પર આ મેસેજ બહુ ફરી રહ્યા છે. ઠાકોર સમાજના યુવાનોનાં ગ્રુપમાં આ મેસેજ મોકલીને તેને વધુ ને વધુ પ્રમાણમાં વાયરલ કરવાની અપીલો પણ કરાઈ છે. આ મેસેજમાં એવો આક્ષેપ પણ કરાયો છે કે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ ઠાકોર સમાજને અન્યાય કરાયો હતો અને આનંદીબેનના શાસનમાં પણ ઠાકોર સમાજને અન્યાય થઈ રહ્યો છે. મેસેજમાં બબ્બે પાટીદાર (રૂપાલા અને માંડવિયા)ને સ્થાન અપાયાનો પણ ઉલ્લેખ છે.
2/5

સોશિયલ મીડિયા પર ફરતા થયેલા સંદેશાઓમાં એવું કહેવાયું છે કે, ગુજરાતમાંથી ઠાકોર સમાજના પાંચ સંસદસભ્યો છે છતાં કેન્દ્રની મોદી કેબિનેટમાં એક પણ ઠાકોરને સ્થાન નથી અપાયું એ ઠાકોર સમાજનું ઘોર અપમાન છે અને એ કોઈ પણ સંજોગોમાં ચલાવી ના લેવાય. ગુજરાતમાંથી ઠાકોર સમાજના લીલાધર વાઘેલા (પાટણ લોકસભા), દેવજીભાઈ ફતેપરા (સુરેન્દ્રનગર લોકસભા), દીપસિંહ રાઠોડ (સાબરકાંઠા), દેવુસિંહ ચૌહાણ (ખેડા) તથા પ્રભાતસિંહ ચૌહાણ (પંચમહાલ) એમ પાંચ સંસદસભ્યો છે તેવો દાવો પણ આ મેસેજમાં કરાયો છે.
Published at : 07 Jul 2016 10:50 AM (IST)
View More





















