શોધખોળ કરો
25 આતંકીઓએ બસને ઘેરી લીધી હતી, જાણો કેવી રીતે ડ્રાઈવરે 45 લોકોનો જીવ બચાવ્યો
1/4

શ્રીનગરના અનંતનાગમાં સોમવારે રાત્રે આતંકવાદીઓએ અમરનાથ યાત્રાળુએ ગયેલા ગુજરાતીઓની બસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આતંકી હુમલામાં 7 ગુજરાતીઓના મોત થયા છે. આતંકીઓએ ઓમ ટ્રાવેલ્સની બસ પર હુમલો કર્યો હતો, ત્યારે ટૂર ઓપરેટર અને હર્ષ દેસાઇને પણ 2 ગોળી વાગી હતી. હર્ષ દેસાઇએ જણાવ્યું હતું કે, શ્રીનગરથી થોડે આગળ ગયાને તરત જ બસને ઘેરી વળીને મન ફાવે તેમ ગોળીઓ મારી હતી.
2/4

હર્ષે વધુમાં જણાવ્યું કે, વળાંક લેતાં જ આતંકીઓ આડેધડ ગોળીબાર કરવા લાગ્યા હતા. 25 જેટલા આતંકી હતા. તેઓ એવી રીતે અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યાં હતાં, જાણે વીડિયો ગેમ રમતાં હોય. મને પગ અને ખભાના ભાગે ગોળી વાગી હતી. ગોળી વાગતાં જ મગજ સૂન થઇ ગયું હતું, પરંતુ આતંકી હુમલાનો ખ્યાસ આવતાં જ ફૂલ સ્પીડે બસ હાંકી તેમના ઘેરામાંથી બસને બહાર કાઢી. પાંચ કિલોમીટર સુધી ફૂલ સ્પીડે બસ દોડાવ્યા બાદ આર્મીની ગાડી મળી. તેઓ તરત જ આતંકીઓને પકડવા રવાના થયા, પરંતુ તેઓ નાસી છૂટ્યાં હતાં.
Published at : 11 Jul 2017 10:06 AM (IST)
View More























