ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, હરેશકુમાર હેમનાનીએ હિતેશને 2013થી એપ્રિલ 2017 દરમિયાન માનસિક અને શારીરીક ત્રાસ આપ્યો હતો. પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે, આ કેસમાં સંપતિનો વિવાદ પણ કારણભૂત હોવાની વાત પોલીસને જાણવા મળી છે.
2/4
નંદાબેનના કહેવા પ્રમાણે, તેમના પ્રથમ પતિના દીકરા હિતેશને તેમના પતિ હરેશકુમાર હેમનાની અને તેમના દીકરા પંકજ અને સંજય ઉપરાંત જમાઇ સતીષ ભેગા મળીને માનસિક અને શારિરીક ત્રાસ આપતા હતા જેને કારણે હિતેશે આપઘાત કરી લીધો હતો. સરદારનગર પોલીસે આ મામલે હરેશ હેમનાનીની ધરપકડ કરી હતી.
3/4
મળતી વિગતો અનુસાર, નરોડા અજંટા ઈલોરા ફ્લેટમાં રહેતા નંદાબહેન હેમનાનીએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, તેમના પ્રથમ પતિના દીકરા હિતેશે 2 એપ્રિલ 2017ના રોજ આપઘાત કરી લીધો હતો.
4/4
અમદાવાદઃ સાવકા પિતાના ત્રાસથી એક યુવકે આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાના કેસમાં મૃતકના સાવકા પિતાની ધરપકડ કરી હતી.