શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
નીતિન પટેલ ભાજપ છોડવાના હોવાની ચર્ચા વચ્ચે બાપુના જૂથના કયા કયા MLAsની બંધબારણે બેઠક યોજાઈ! જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/26103553/5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![શુક્રવારે સાંજે ગાંધીનગર ખાતે મળેલી આ બેઠકમાં કયા મુદ્દે બેઠક હતી તે અંગેનો કોઈ એજન્ડા હજુ સુધી જાણવા મળી શક્યો નથી. જોકે વાઘેલા જૂથના સભ્યોની આ બેઠક મળતાની સાથે ગુજરાતના રાજકારણમાં ફરીથી સળવળાટ થતાં ગરમાવો આવી ગયો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/26103558/6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શુક્રવારે સાંજે ગાંધીનગર ખાતે મળેલી આ બેઠકમાં કયા મુદ્દે બેઠક હતી તે અંગેનો કોઈ એજન્ડા હજુ સુધી જાણવા મળી શક્યો નથી. જોકે વાઘેલા જૂથના સભ્યોની આ બેઠક મળતાની સાથે ગુજરાતના રાજકારણમાં ફરીથી સળવળાટ થતાં ગરમાવો આવી ગયો છે.
2/6
![આ બેઠકમાં શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા, સી.કે.રાઉલજી, રામસિંહ પરમાર, રાધવજી પટેલ, અમિત ચૌધરી, માનસિંહ ચૌહાણ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં તેવા સમાચાર વહેતા થયા હતાં.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/26103553/5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ બેઠકમાં શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા, સી.કે.રાઉલજી, રામસિંહ પરમાર, રાધવજી પટેલ, અમિત ચૌધરી, માનસિંહ ચૌહાણ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં તેવા સમાચાર વહેતા થયા હતાં.
3/6
![કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા શંકરસિંહ વાઘેલા જૂથના સભ્યોની ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બંધબારણે એક બેઠક મળી હતી તેવા મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/26103548/4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા શંકરસિંહ વાઘેલા જૂથના સભ્યોની ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બંધબારણે એક બેઠક મળી હતી તેવા મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા છે.
4/6
![હવે આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે શંકરસિંહ વાઘેલા જૂથમાં ફરી સળવળાટ થતો જોવા મળ્યો છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/26103541/3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હવે આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે શંકરસિંહ વાઘેલા જૂથમાં ફરી સળવળાટ થતો જોવા મળ્યો છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
5/6
![ગુજરાતમાં ઓગસ્ટ 2017માં રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ સાથે છેડો ભાડીને શંકરસિંહ વાઘેલા જુદા પડ્યા હતાં. તેમની સાથે અન્ય 14 જેટલા ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતાં.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/26103534/2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગુજરાતમાં ઓગસ્ટ 2017માં રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ સાથે છેડો ભાડીને શંકરસિંહ વાઘેલા જુદા પડ્યા હતાં. તેમની સાથે અન્ય 14 જેટલા ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતાં.
6/6
![ગાંધીનગર: ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ભાજપ સાથે છેડો ફાડવાના હોવાની ચર્ચા વચ્ચે ગાંધીનગર ખાતે શંકરસિંહ વાઘેલા જૂથના સભ્યોની બંધબારણે બેઠક મળી હતી. આ બેઠકના કારણે ગુજરાતના રાજકારમાં ફરી ગરમાવો જોવા મળ્યો છે. આવું છેલ્લા એક-બે દિવસથી સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. જોકે આ અંગે શંકરસિંહ વાઘેલા જૂથના સભ્યો તરફથી કોઈ પણ પ્રકારની પૃષ્ટિ કરવામાં આવી નથી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/26103530/1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગાંધીનગર: ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ભાજપ સાથે છેડો ફાડવાના હોવાની ચર્ચા વચ્ચે ગાંધીનગર ખાતે શંકરસિંહ વાઘેલા જૂથના સભ્યોની બંધબારણે બેઠક મળી હતી. આ બેઠકના કારણે ગુજરાતના રાજકારમાં ફરી ગરમાવો જોવા મળ્યો છે. આવું છેલ્લા એક-બે દિવસથી સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. જોકે આ અંગે શંકરસિંહ વાઘેલા જૂથના સભ્યો તરફથી કોઈ પણ પ્રકારની પૃષ્ટિ કરવામાં આવી નથી.
Published at : 26 May 2018 10:36 AM (IST)
Tags :
Deputy CM Nitin Patelવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)