અમદાવાદ: સનાથલની સીમમાંથી નગ્ન અવસ્થામાં અર્ધ બળેલી યુવતીની લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. આ યુવતીની હત્યા કરાઈ કે યુવતીની હત્યા કરીને સળગાવી દેવાઈ તે અંગેનું રહસ્ય ઘુંટાઇ રહ્યું છે. પીએમ રિપોર્ટ બાદ યુવતીની હત્યા કેવી રીતે થઈ તે ખુલશે.
2/4
યુવતીની ઉંમર લગભગ ૩૦ વર્ષ આસપાસની જણાય છે. પોલીસે લાશને પી.એમ. માટે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી હતી. બળેલી હાલતમાં લાશ મળતા કોઈએ યુવતીનું મર્ડર કરીને લાશ બાળી નાખી છે કે કેમ તેવી વાતો લોકોમાં ફેલાઈ હતી, પરંતુ સાચી હકીકત પી.એમ. રીપોર્ટ પછી જ બહાર આવશે.
3/4
સબ્બીરભાઈએ ભવાની ટ્રાન્સપોર્ટનાં માલિક કિશોરભાઈને જાણ કરી હતી. જેથી તમામ લોકો શાંતીપુરા સર્કલ નજીક ર્સિવસ રોડની બાજુમાં આવેલ ઝાડીઓમાં દોડી ગયા હતા જ્યાં તેમણે લાશ જોતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાં સ્થળે જઈ લાશનો કબજો લઈ તેને જોતા તે યુવતીની લાશ બળેલી હાલતમાં હતી અને તેની પાસેથી ઓળખાણ થાય તેવા કોઈ પુરાવા પ્રાપ્ત થયેલ નથી.
4/4
હજુ સુધી યુવતીના લાશની ઓળખ થાય તેવા કોઈ પુરાવા પોલીસને હાથ લાગ્યા નથી. સાણંદ તાલુકાનાં સનાથલ ગામની સીમમાં ગઈ કાલે સવારે ૯ વાગ્યે શાંતીપુરા સર્કલ પાસે આવેલ ભવાની ટ્રાન્સપોર્ટની ગાડીના ડ્રાઈવરે ર્સિવસ રોડ પાસેની ઝાડીમાં બળેલી હાલતમાં નગ્ન અવસ્થામાં પડેલી યુવતીની લાશ જોતા એમ.એમ.મોટર્સમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા સબ્બીરભાઈ આલજીભાઈને જાણ કરી હતી.