શોધખોળ કરો
ઓનલાઇન ફ્રોડ થશે તો મળશે કેટલું વળતર? કેટલા કરોડનો કરી શકાશે દાવો? જાણો નવો કાયદો
1/6

સરકાર સમક્ષ આ અંગેની 13 અરજીઓ આવી હતી, તેમાંથી 11 અરજીનો નિકાલ કરાયો છે. એટલું જ નહીં પાંચ અરજીમાં વળતરના ચુકાદા અપાયા છે. આવા ઓનલાઇન ફ્રોડના કિસ્સામાં પોલીસ ફરિયાદ ઉપરાંત વળતર માટે નાગરિક www.dst.gujarat.gov.in પરથી જાણકારી મેળવી અરજી કરી શકશે.
2/6

અમદાવાદઃ નોટબંધી બાદ સરકારે કેશલેસ નાણાકીય વ્યવહાર પર ભાર મૂક્યો છે. કેશલેસ નાણાકીય વ્યવહારમાં થતાં ફ્રોડને ધ્યાનમાં રાખીને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. લોકો ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરતા થાય અને કેશલેસ નાણાકીય વ્યવહારને બળ આપવા ઓનલાઇન ફ્રોડના કિસ્સામાં પોલીસ ફરિયાદ ઉપરાંત કોઇપણ વ્યક્તિ પોતાને થયેલા આર્થિક નુકશાન પેટે રૂ. 5 કરોડ સુધીનો દાવો રાજ્યના ઇન્ફર્મેશન એન્ડ ટેક્નોલોજી વિભાગમાં નિમાયેલા એડ્જુડિકેટિંગ ઓફિસર સમક્ષ કરી શકશે, તેવી નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.
Published at : 29 Dec 2016 09:49 AM (IST)
Tags :
Gujarat GovernmentView More























