શોધખોળ કરો
ગુજરાત સરકારના આ આદેશથી સરકારી કર્મચારીઓ થઇ ગયા દોડતા, જાણો શું છે કારણ
1/4

વાર્ષિક રૂપિયા ૨.૫૦ લાખથી વધુનો પગાર મેળવતા હંગામી કર્મચારીઓને પણ આ માહિતી આપવા આદેશ કરાયો છે. ૫૦૦ અને ૧૦૦૦ની નોટ રદ થયા બાદ સરકારી કર્મચારીઓના ખાતામાં રોજબરોજ ટ્રાન્ઝેકશનો પર નજર રાખવા માટે આ પગલું ભરાયુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓના રિટર્નમાં તમામ આવક અને બચત દર્શાવવામાં આવતી નથી. આથી તમામ કર્મચારીઓએ ઓકટોબર-૨૦૧૬ સુધીની બચત અને રોકાણની માહિતી પણ આપવાનો આદેશ કરાયો છે.
2/4

અમદાવાદઃ હાલમાં સમગ્ર દેશમાં મોદી સરકારે 500 અને 1000 રૂપિયાની નોટ મુકેલા પ્રતિબંધની જ ચર્ચા ચાલી રહી છે. કાળા નાણાને નાથવા માટે લેવામાં આવેલા આ પગલા બાદ અનેક કાળા બજારીયા પોતાના કાળા નાણાને વ્હાઇટ કરવામાં લાગી ગયા છે ત્યારે ગુજરાત સરકાર પણ જાગી છે. ઘણા સરકારી કર્મચારીઓ કાળા બજારિયાઓના નાણાં પોતાના ખાતામાં જમા કરાવીને વ્હાઈટ કરાવવામાં મદદ કરી રહ્યા હોવાની જાણ ગુજરાત સરકારને થતાં અચાનક હરકત આવી ગઇ છે.
Published at : 16 Nov 2016 02:29 PM (IST)
View More





















